________________
હસવા લાગે !
એકાએક ગર્ભ ફરફરતો બંધ થઈ ગયો. માને અકળામણ એકદમ ઓછી થઈ ગઈ ! - તનની અકળામણ ઓછી થઈ, પણ મનની અકળામણ એકાએક વધી ગઈ. મનમાં ધ્રાસકો પડ્યો કે શું મારા ગર્ભને કંઈ અમંગળ થયું કે ફરૂફ થતો બંધ પડ્યો !
માતાએ તો વિલાપ કરવા માંડ્યો ! દૂર દૂર આંબાવાડિયામાં કોકિલ ટહુકતો હતો. એ કાને કર્કશ લાગ્યો.
મલયાચલનો મંદ સુગંધી શીતળ પવન વાતો હતો. એ દેહને બાળવા લાગ્યો.
રાજા સિદ્ધાર્થ ઘણું સમજાવે : “રે રાણી ત્રિશલાદેવી ! એવાં તે શાં અસુખ તમને ઊપજ્યાં ?” પણ ત્રિશલાની આંખમાંથી આંસુ ન અટકે. આનંદને ઠેકાણે શોક પ્રસરી ગયો.
ત્રિશલા કહે : “અરે, મારાં પૂર્વજન્મનાં પાપ ફૂટ્યાં, નહિ તો આવું ન બને ? આ ભવમાં તો મેં કોઈનું આંખ-માથું દુખાડ્યું નથી, પણ પરભવમાં મેં વનને વિશે અગ્નિ લગાડ્યો હશે, કાં પંખીના માળા પાડ્યા હશે, કાં સરોવર ફોડ્યાં હશે, કાં તળાવનાં પાણી સૂકવ્યાં હશે. નહીં તો આમ ન બને ?”
ત્રિશલાનું મુખકમળ કરમાયેલું જોઈ રાજબાગનાં ફૂલ પણ કરમાવા * લાગ્યાં, ચણ ચણતાં સૂડા-પોપટે મોંમાંથી ચય કાઢી નાખી.
આંગણામાં મોર એમ ને એમ મોં ઢાળીને ઊભા રહી ગયા. અરેરે ! ત્રિશલાદેવી જેવી માતા રડતી હોય, ત્યારે આપણાથી કેમ હસાય ? પશુઓ ચારો છોડી બેઠાં !
રાજમહેલમાં ચાલતાં નાટકો બંધ પડ્યાં. વીણામૃદંગ બાજતાં બંધ થઈ ગયાં !
ત્યાં તો – ન જાણે, આ બધી પરિસ્થિતિ પારખીને કે શું? ગર્ભ ફરક્યો. ભર્યા જળાશયમાં મત્સ્ય હાલે તેમ !
મા હસી પડી !
૨૦ ૮ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org