________________
પ૪
કિરાતરાજ ને દીક્ષા
સાક્ત નગરનો રહેવાસી જિનદેવ નામનો શ્રમણોપાસક ધંધાર્થે દેશાવર ખેડતો હતો. એ એક વાર પ્લેચ્છ દેશમાં ગયો. તેની રાજધાનીનું નગર કોટિવર્ષ હતું. ત્યાંનો રાજા કિરાત હતો.
જિનદેવ કિરાતરાજના દરબારમાં ગયો. અને પોતાની પાસે રહેલાં કીમતી વસ્ત્ર, મણિ અને રત્ન ભેટ ધર્યા : કિરાતરાજ આ રત્નો જોઈ ખુશ થયો. એણે કહ્યું : “કેવાં સુંદર ! ભલો, ક્યાં પાકતાં હશે આવાં રત્નો ?'
અમારા દેશમાં. આ તો શું, આનાથી પણ સુંદર સુંદર રત્નો પાકે છે.' જિનદેવે કહ્યું.
મારી ઇચ્છા આવા રત્નોવાળા દેશને જોવાની છે ? શું તમારો રાજા મને પ્રવાસની અનુમતિ આપે ખરો ?”
શા માટે નહિ ? હું ટૂંક સમયમાં અનુમતિ મગાવી લઉં છું. પછી આપણે સાથે જઈશું.”
જિનદેવે સાકેતરાજને લખ્યું. ત્યાંથી તરત જ અનુમતિ આવી ગઈ. બંને જણા શુભ દિને નીકળ્યા, ને સાકેત નગરમાં આવી પહોંચ્યા. આ જ વખતે નગરમાં વનપાલકે વધામણી ખાધી કે ભગવાન મહાવીર નગર બહાર ઉદ્યાનમાં પધાર્યા છે. તરત આખું નગર એ ઉદ્યાન તરફ ચાલી
કિરાતરાજને દીક્ષા ૨૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org