________________
જીવો છ પ્રકા૨ના છે : પૃથ્વીની કાયાવાળા, જળની કાયાવાળા, અગ્નિની કાયાવાળા, વાયુની કાયાવાળા ને ત્રસકાયિક.
39
નિગ્રંથના પાંચ યામ
જીવમાત્ર સુખને ઇચ્છે છે, દુઃખને તિરસ્કારે છે. માટે કોઈ જીવને કદી પીડા ન પહોંચાડવી, એમને બીજા કોઈ પાસે ન પીડાવવા, અને બીજા પીડતા હોય એની પીઠ ન થાબડવી. (અનુમોદન ન કરવું.)
આ કા૨ણે નીચેના પાંચ યામ-પાંચ મહાવ્રત નિગ્રંથ સાધુએ પાળવાં.
૧લું મહાવ્રત : અહિંસા : હિંસા કરે નહિ કરાવે નહિ, કરતાને અનુમોદે નહિ. સ્થૂલ, સૂક્ષ્મ, સ્થાવર કે જંગમ કોઈ પણ પ્રાણીની હિંસા થાય તેવું મન, વચન અને કાયાથી કંઈ ન કરવું. સાવધ રીતે ચાલવું. મનને શાંત રાખવું. વાણીને ઉદાર રાખવી. વસ્તુ મૂકતાં, લેતાં, ખસેડતાં ધ્યાન રાખવું. અન્નપાનની પણ શુદ્ધિ જાળવવી.
રજું મહાવ્રત : સત્ય : જૂઠું ન બોલવું, બોલવા પ્રેરવું નહિ, તેનું અનુમોદન કરવું નહિ. ક્રોધથી જૂઠું ન બોલાય, હાસ્યથી જૂઠું ન બોલાય, લોભથી જૂઠું ન બોલાય, ભયથી જૂઠું ન બોલાય કે સહસા જૂઠું ન બોલાય. આ માટે મન, વાણી ને દેહને સાવધ રાખવાં.
૩ મહાવ્રત : અસ્તેય : સર્વ પ્રકારની ચોરીનો ત્યાગ, અણહકનું -
નિગ્રંથના પાંચ યામ ૭ ૧૭૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org