________________
મતલબ પણ અજનો અર્થ બકરો નહિ, પણ ડાંગર કરવામાં આવ્યો, જે રાજાએ વિપરીત અર્થ કર્યો, એનું સિંહાસન ઊડી ગયું.
શ્રી પાર્શ્વનાથે આહાર-શુદ્ધિ માટે આચાર-શુદ્ધિ બતાવી. ચાર યામ પાળવાના કહ્યા. ૧. અહિંસા પાળવી, ૨. સત્ય બોલવું, ૩. અણહકનું ન લેવું, ૪. બાહ્ય વસ્તુનો સંગ્રહ ન કરવો.
અગ્નિતપ કાજે સળગાવેલા લાકડામાંથી સાપને બળતો કાઢી બતાવી, પાર્શ્વનાથે સૂક્ષ્મ અહિંસા તરફ લોકોનું લક્ષ દોર્યું. કહેવાય છે કે ભગવાન બુદ્ધ ગૃહત્યાગ પછી, ચાર યામવાળા સાધુઓના ધર્મમાં ભળ્યા હતા. બૌદ્ધ ગ્રંથોમાં ચતુર્યામ સંવરનો ઉલ્લેખ છે.
શ્રી પાર્શ્વનાથ પછી લગભગ બસો વર્ષે નિગ્રંથ ભગવાન મહાવીર થયા. એમણે અહિંસાને વ્યવહારુ રૂપ આપ્યું. એ માટે સંસ્કૃત છોડી, લોકભાષામાં જ તત્ત્વજ્ઞાન રજૂ કર્યું. ચાર યામમાં પાંચમો ‘બ્રહ્મચર્ય' યામ ઉમેરીને પાંચ મહાવ્રતની પ્રરૂપણા કરી અને સ્ત્રીને યોગસાધના, શાસ્ત્રો અને મોક્ષનો અધિકાર આપ્યો. એમણે જાતિ ને વર્ણ ૨૬ કર્યાં. જ્ઞાન ને ચરિત્રની કિંમત બઢાવી. અશ્વમેધ, ગોમેધ ને નરમેધ સામે ઝુંબેશ ઉઠાવી, તે સર્વ સર્વથા નષ્ટ કર્યાં. હિંસા કોઈ પણ રૂપમાં તજવા જેવી કહી.
એમણે આત્મા એ જ પરમાત્માના સિદ્ધાંતની ઘોષણા કરીને ઈશ્વરની અધીનતા ઘટાડી, સ્વકર્મની એટલે પુરુષાર્થની કિંમત બઢાવી.
એમણે જગતના સર્વ મતોને સાપેક્ષ સત્યવાળા ઠરાવ્યા. અનેકાંત દૃષ્ટિથી જગતને જોવાનું કહ્યું. આમ આચારમાં અહિંસા, વિચારમાં અનેકાંત, વાણીમાં સ્યાદ્વાદ ને સમાજમાં અપરિગ્રહ ઉપદેશ્યાં.
એમણે કહ્યું, “જેઓ આ રીતે જીવશે, તેઓ જેમ વાયુ ભડભડ સળગતી જ્વાલાઓને ઓળંગી જાય છે, તેમ તેવો આદર્શ માનવી પણ, સંસારની જ્વાલાઓને ઓળંગી, પરમ આનંદનો ભાગી થશે.” એ ભગવાન મહાવીરનું આ ચરિત્ર છે.
Jain Education International
१६
For Private & Personal Use Only
www.jainelibrary.org