________________
૩૧
કેવલજ્ઞાન
કલકલ નિનાદિની ઋજુવાલુકા નદી વહી જાય છે. એને કાંઠે જંભક નામનું ગામ વસેલું છે.
નદીના કાંઠે લીલાંછમ ખેતરો છે ! આ ખેતરોમાં શામાક કણબીનું સુંદર ખેતર છે. શાલવૃક્ષોની ઘેરી ઘટા છે. ઘટામાં એક ખંડેર ચૈત્ય છે. ચૈત્યની પાછળ સંધ્યા જામતી આવે છે. ગ્રામજનો ગીત ગાતા, બંસી વાતા ઘરભણી જઈ રહ્યા છે. આખો દિવસ મીઠી મધ જેવી હરિયાળી ચરી ગાયો ગળાની ઘંટડીઓ રણઝણાવતી ઘર તરફ જાય છે.
વૈશાખ માસની સુદ દશમ છે. દિવસનો ચોથો પહોર છે. બેંતાલીસતેંતાલીસ વર્ષના ભગવાન મહાવીર અહીં આવી ઉકડુ આસને (ગોદોહાસને) તડકામાં જ ધ્યાનમાં બેઠા છે.
ગ્રીષ્મના અકળાવનારા દિવસો છે. આંબાવાડિયામાં કોકિલ શાંત છે. બપૈયા હંમેશાંની વ્યાકુળ વાણી વીસરી ગયા છે. અગ્નિ જેવી વરાળો પૃથ્વીને તપાવી રહી છે. બળદો છાયામાં બેઠા છે. મૃગલાં ઠંડી ઠંડી હવામાં વિશ્રામે છે! એકાંત છે. નિર્જનતા છે. માત્ર સૂર્ય હજીય આગ વરસાવે છે. યજ્ઞકુંડ જેવી પૃથ્વી હજીય વરાળો કાઢે છે.
સંસારમાં રહેતાં છતાં વર્ધમાન સાધુ હતા. સાધુ થઈને તો એમણે કઠોર સાધનાનો આડો આંક વાળી નાખ્યો. જેઓ દેહને પાણીના પરપોટા જેવો નમાલો, ફૂલની જેમ ટાઢ-તાપમાં કરમાનારો, ને પૂરતી આળપંપાળ વગર પડી કેવલજ્ઞાન ૧૫૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org