________________
નહિ, શીલની ખાતરી નહીં અને એવી ગુલામડીના હાથથી મહાયોગીએ અન્ન લીધું.
“ચાલો ચાલો, જરૂર એમાં કંઈ ભેદ હશે ! સંતોનાં કાર્ય એના પરિણામ પરથી પરખાય છે.”
સહુ કૌશાંબીના એ શેઠની હવેલી તરફ ધસ્યા. લોકોની તો ભારે ઠઠ જામી ગઈ છે. દૃશ્ય અદ્ભુત છે. દરવાજે મહાવીર ભિક્ષાન વહોરીને ઊભા છે. દરવાજાના મૂળમાં એક સુંદર છોકરી ઊભી છે ! છોકરી સુંદર છે, પણ માથું મૂંડાવેલું છે ! કેવી વિચિત્રતા !
અરે એના પગમાં લોઢાની બેડી પડી છે. આવી સુકુમાર ચંદનની વેલ જેવી છોકરીને આવી કઠોર સજા હોય ? એ પોતે જ ક્ષુધાતુર દેખાય છે, પણ પોતાની પાસે સૂપડામાં અડદના બાકળા હતા તે એણે હોંશે હોંશે મહાયોગીને આપી દીધા છે !રે એક દાસી ! ને આવી ઉચ્ચ મનોભાવના ! લોકોનો પ્રવાહ ધનાવહ શેઠના ઘર તરફ વહી નીકળ્યો ! રાજા-રાણી, અમાત્ય-મંત્રી, શેઠશાહુકાર સહુ ધસ્યા આવે છે. આ દાસીનો માલિક ધનાવહ શેઠ પણ ધસ્યો આવે છે. સાથે ગામનો લુહાર પણ છે. તડાતડ બેડીઓ તૂટે છે.
ત્યાં પ્રાણપોક મૂકતો એક માણસ ભીડને ચીરતો આગળ આવે છે. “અરે ! ઓળખ્યો અને ? આ તો સંપુલ નામનો કંચુકી છે. એ રડતો રડતો કહે છે : રે દેવ ! આ તો ચંપાનાં રાજકુમારી વસુમતી છે; ધારિણીદેવીનાં પુત્રી છે.”
લોકોએ કહ્યું, “ધનાવહ શેઠ કહે છે કે એ તો મારી દાસી ચંદના છે. સાચું શું છે ?'
“સાચું હું કહું છું, તે છે!” કંચુકી બોલ્યો.
એટલામાં દાસીને તાકીને જોઈ રહેલાં કૌશાંબીનાં રાણી મૃગાવતી ધસી આવ્યાં. દાસીને છાતીએ લગાવીને બોલ્યાં : “અરે ! આ તો મારી બહેન ધારિણીની પુત્રી વસુમતી. હાય રે તમારી લડાઈઓ ! જે પોતાનાંને પોતે જ હણનારી.'
લોકો તો સંબંધ શોધવામાં કુશળ હોય છે. તેઓ તરત બોલ્યા : “રાણી મૃગાવતી ને ધારિણી વૈશાલીપતિ રાજા ચેટકની પુત્રીઓ ! ચંપાનો રાજા ને
૧૪૪ % ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org