________________
રાણીએ રાજાને કહ્યું : “શત્રુને જીતવાની અનેક યુક્તિ-પ્રયુક્તિઓ જાણો છો, ને એક મહાયોગીની ભિક્ષા વિશે જાણી શકતા નથી.”
રાજાએ અમાત્યને બોલાવીને કહ્યું : “રાજ કેમ ચલાવવું એની અનેક રીતો જાણો છો, ખાનગીમાં ખાનગી વાતો જાણી લાવો છો, ને એક મહાયોગીની ભિક્ષાનો ભેદ નથી કળી શકતા ?'
અમાત્યે નગરના ધર્મશાસ્ત્રીને બોલાવીને ધમકાવ્યા : “ધર્મશાસ્ત્રોમાં પારંગત છો, ને આ મહાભિક્ષુના અભિગ્રહ કે અપેક્ષાને જાણી શકતા નથી ?'
ધર્મશાસ્ત્રીએ લાચારીમાં પોતાના હાથ હેઠા નાખ્યા, ને પ્રજાજનોને કહ્યું કે “આવો યોગી ભૂખ્યો રહે, એ નગરી માટે શાપ રૂપ લેખાય. આથી તો આપણું ધનોતપનોત નીકળી જાય. માટે અનેક પ્રકારની વાનગીઓ લઈને દ્વારે દ્વારા સજ્જ થઈને ઊભા રહો. મહાયોગીને શું જોઈએ, તેનો તરત ખ્યાલ આવી જશે.'
પણ આ બધું વ્યર્થ થયું. પાંચ માસ ને એક પક્ષ વીતી ગયાં. મહાભિક્ષુએ ભિક્ષા ન લીધી તે ન જ લીધી. કૌશાંબીના લોકોને નગર પર ભાર લાગવા માંડ્યો. પોતાના બુદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ શુષ્ક લાગવા માંડ્યા. સહુ કહેવા લાગ્યા : જલમેં મીન પિયાસી !'
આમ ભૂખ્યા ભૂખ્યા – ભિક્ષા માટે ફરતાં ફરતાં – છ માસમાં થોડાક દિવસો શેપ રહ્યા, પણ એ ભિક્ષા તો પૂરી ન જ થઈ. અને એક મહાયોગીની ભિક્ષાએ આખી નગરીની વિચારધારા ફેરવી નાખી હતી. આખી નગરી સ્વકર્મની તુલા લઈને જોખાજોખ કરવા લાગી : પુણ્ય શું, પાપ શું, ધર્મ શું, અધર્મ શું. ન્યાય શું, અન્યાય શું, એના જ વિચાર સર્વત્ર થવા લાગ્યા !
એક દિવસ એકાએક કૌશાંબીની ગલીએગલી જયજયનાદથી ગાજી રહી. હર્ષના પોકારો ને સૌનેયા-રૂપાના ઝણકારથી દિશાઓ બહેરી બની ગઈ.
નગરજનો ઉઘાડેછોગે ચર્ચા કરવા લાગ્યા. “અરે ! છ છ માસ જેટલા સમય પછી મહાયોગીએ ભિક્ષાન સ્વીકાર્યું ખરું -- અને એ પણ આપણી નગરીના ધનાવહ શેઠની એક દાસી પાસેથી સ્વીકાર્યું !”
શું ધનાવહ શેઠના હાથ ગીરો મુકાયા હતા, કે એક અધમ દાસીએ પ્રભુને પ્રતિલાવ્યા ? અરે ! પણ એ શેઠનું ઘર જ સ્મશાનની જેમ નિર્જન છે. માત્ર
૧૪ર ૮ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org,