________________
‘લાવ ને ! આના બે પગ વચ્ચે અગ્નિ તપાવી અન્ન રાંધું !”
અગ્નિ ઝગ્યો, પણ મહાવીરના અંતરનો ઝળહળાય ધીમો ન પડ્યો. એટલામાં તો એક ચંડાળ પંખીનાં પાંજરાં લઈને આવ્યો. મહાવીરને વૃક્ષના થડની જેમ અડોલ જોઈ, કોઈ “માતમા' લાગે છે, કહી એની મજાક ઉડાવવા લાગ્યો, ને એમના દેહ પર પોતાનાં પાંજરાં લટકાવી દીધાં. ભૂખ્યાં પંખી ચાંચો મારી મારી દેહમાંથી માંસ ઠોલવા લાગ્યાં.
પ્રભાતી કિરણો ફૂટવાને હજી વાર હતી. ત્યાં આકાશમાં ભયંકર કાળચક્ર સુસવાટા કરવા લાગ્યું. કડાકા સાથે એ મહાવીર પાસે આવ્યું. પૃથ્વી એકસપાટે ચિરાઈ ગઈ. આકાશ જૂના છાપરાની જેમ તૂટું તૂટું થવા લાગ્યું. ભલભલાને ગુલાંટ ખવડાવી ભોં ભેગા કરી દે, તેવો એક ધક્કો આવ્યો. પહાડ જેવા અડોલ મહાવીર કમરબૂડ પૃથ્વીમાં ઊતરી ગયા. ભલભલાની ત્યાં સમાધ રચાઈ જાય, તેવો એ ઘાટ હતો.
થોડી વારે એ તોફાન શમ્યું. પ્રભાતી રંગ પૃથ્વી પર ફેલાયો. આ દેશ સારપ માત્રનો શત્રુ હતો. એક માનવી બીજા માનવીને શત્રુ ને હરીફ રૂપે જોતો. કોઈની સુજનતાનો એ ભરોસો ન કરતો. દુનિયામાં ભલાઈ હોય, એમ એ ન માનતો. ત્યાં ચોર પણ સાધુવેશ લેતા. વેશની પવિત્રતા, અંતરની મહત્તા કે પરમાર્થની ભાવના વિનાનો આ પ્રદેશ હતો.
એક વાર સાધુવેશમાં ચોરી કરતો એક જણ પકડાયો. એણે કહ્યું :
‘હું નિર્દોષ છું. હું તો મારા ગુરુની આજ્ઞાને અનુસર્યો છે. ચાલો, મારા મહાગુરુને બતાવું.'
ચોર સિપાઈઓને જ્યાં મહાવીર હતા ત્યાં લઈ ગયો. મહાવીરને પરદોષ કહેવાના નહોતા. પેલો ચેલો છૂટી ગયો. મહાવીર બંધાઈ ગયા. થોડો માર પણ પડ્યો, ને લઈ ચાલ્યા રાજદેવડીએ.
માર્ગમાં ભૂતિલ નામનો ઇંદ્રજાળી મળ્યો. એણે મહાવીરને ઓળખ્યા. એણે કહ્યું : “અરે, આ તો મહાત્યાગી મહાવીર છે - રાય સિદ્ધાર્થના પુત્ર !'
મહાવીર બંધનમુક્ત થયા.
એક વાર પાંચસો ચોર મળ્યા. તેઓ આનંદને ખાતર મહાવીરને ભેટી સંગમવિજય મ ૧૩૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org