________________
અંબોડે મીઠી બંસી વાતી ત્યાં આવી પહોંચી. એનાં વસ્ત્રોનું કંઈ ઠેકાણું નહોતું. એનાં મા૨ણાં અંગો જાદુ કરતાં હતાં. થોડી વારે ઢોલક વગાડતી બીજી એક સુંદર સ્ત્રી આવી. એના સુગંધીભર્યા વાળ પગની પાનીને અડકતા હતા. થોડી વારે વળી પાંચેક સરખી હેડીની સુંદરીઓ નાચતી ગાતી ત્યાં આવી !
સુંદરીઓનો આ સાથ હસ્યો, રમ્યો, નાચ્યો, આખી વનપલ્લીને એમના સ્વરને રૂપથી ઝળાંહળાં કરી દીધી.
પુષ્પનાં બાણ લઈને ૨મતી સુંદરીઓએ જાણે મહાવી૨ને નિહાળ્યા. આનંદ કરતું આ વૃંદ એકાએક જાણે ચમકી ઊઠ્યું. તેઓએ મહાયોગી તરફ પોતાનાં પુષ્પ-તીર તાક્યાં, ને બોલી
:
‘અરે ! આ રહ્યા આપણા હૈયાના હાર !' આમ કહેતી એક નવયૌવના જાણે ભેટવા દોડી.
‘હે નિષ્ઠુર દેવતા ! સુંદરીઓને આમ રઝળાવવાની હોય ?' બીજી બે સુંદરીઓ જઈને ગોદમાં ભરાવા લાગી.
‘અરે જગતમાં સહુને સ્નેહ આપો છો, ને અમને કાં વંચિત રાખો ?’ એક રૂપયૌવનાએ કાતિલ કટાક્ષ કરતાં કહ્યું.
‘સહુને સુખ પહોંચાડો છો, ને મને કાં પીડો, સ્વામી !' મુખ્ય નાયિકાએ કમળ જેવાં નયન નચાવતાં કહ્યું, ‘એકાંત છે, યૌવન છે. રસ છે, રસિકાઓ છે. હે રસિયા સ્વામી ! વિલંબ કાં કરો ?'
‘અરે ! તમે તો કહો છો કે આત્મા ને દેહ જુદા છે. તો આત્મા તમે રાખી લો, દેહ અમને આપો ! દેહનો અમને ખપ છે ! નાથ, હવે અમને વધુ તરસાવો ના !'
સુંદરીઓ મહાયોગીને વીંટળાઈ વળી, પણ મહાવીર જળ-કમળવત અલિપ્ત હતા. આખરે સુંદરીઓ જાણે નિરાશ થઈ, ચોધાર આંસુથી રડતી રડતી અદૃશ્ય થઈ ગઈ.
સુંદરીઓ ચાલી ગઈ. રાત પણ ચાલી ગઈ હતી. ત્યાં એક રસોઇયો આવ્યો. એ ચૂલો કરવા પથરા શોધતો હતો. પથરા નહોતા મળતા. મહાવીરને સ્થિર ઊભેલા ને પોતાને કંઈ મદદ કરતા ન જોઈ, એણે વિચાર્યું :
૧૩૪ ૫ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org