________________
આવ્યા. એમણે એમનું પરાક્રમ દાખવવામાં પીછેહઠ ન કરી. પછી ઉંદર આવ્યા. ઉંદર તો સાપનું ભક્ષ, પણ અહીં તો બંનેનું ભક્ષ ત્રીજી વ્યક્તિ હતી; એટલે બંનેએ પોતાનું કામ ચાલુ રાખ્યું.
* માણસ તો શું શેતાન પણ રાડ પાડી દે તેવી વેદના હતી, પણ મોંએથી એક ધીમો આર્તનાદ પણ કેવો ? આ પછી મસ્તાન માતંગ આવ્યો. એણે રણગોળીટાની જેમ મહાવીરને ઉપાડી ઉપાડીને આકાશમાં ઘા કરવા માંડ્યા. પછી મહાપિશાચ આવ્યો, પોતાનું ખપ્પર ભરવા ! એ ગયો, ત્યાં લોહીતરસ્યો ભયંકર વાવ આવીને કારમી કિકિયારી સાથે તૂટી પડ્યો.
પોલાદનેય પિગળાવી નાખે તેવાં દુઃખો, ને મહાવીરનું એક રુવાંટું પણ ફરકાવી ન શક્યા. ત્યાં તો ન જાણે ક્યાંથી યશોદા ને પ્રિયદર્શના રોતાં-કકળતાં આવી પહોંચ્યાં.
યશોદા હૈયું વલોવી નાખે તેમ કલ્પાંત કરતી રડતી હતી : “હે નાથ ! હાથ ગ્રહીને શું આમ અંધારે કૂવે નાખવી હતી ? આના કરતાં તમે અમને મારીને મુનિ થયા હોત તો સારું. તમારા ભાઈએ મને દીનહીન બનાવી ઘરમાંથી કાઢી મૂકી છે !”
આટલું બોલીને યશોદાએ મોટેથી હૂઠવો મૂક્યો. ભલભલાનું હૃદય ચિરાઈ જાય, તેવું એ દૃશ્ય હતું. એ હજી પૂરું થયું ન હતું ત્યાં તો પ્રિયદર્શનાએ પ્રાણપોક જેવા અવાજે કહ્યું :
“તમારે ઘેર જન્મીને મેં અપરંપાર દુઃખ વેક્યું છે. પતિએ કાઢી મૂકી. મોટા કાકાએ જાકારો આપ્યો. બાળબચ્ચાંવાળી હું હવે કૂવે પડું, દરિયો પૂરું કે આગમાં ઝંપલાવું ?'
પણ મહાવીરને તો આ કંઈ જ સ્પર્શતું નથી ! જાણે પથ્થર પર પાણી !
થોડી વારમાં આ બધું જાણે અદૃશ્ય થઈ ગયું. હવા સુગંધભાર લઈને વહેવા લાગી. પુષ્પો ઊઘડવા લાગ્યાં. લતાઓ ફૂલોથી ખીલી ઊઠી. મૃગ ને મૃગી, શુક ને શુકી, સારસ ને સારસી, સહુ જાણે પ્રેમમયી સૃષ્ટિમાં ગુલતાન થઈ ગયાં.
કેવી ઋતુ ! કેવો સુંદર સમય ! કેવો એકાંત ! ત્યાં તો કોઈ યુવતી છૂટે
૧૩૨ ભગવાન મહાવીર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org