________________
નામના પ્રદેશમાં, પેઢાલ ગામની બહાર, પોલાસ ચૈત્યમાં મહાપ્રતિમા નામનું વ્રત લઈને એ ધ્યાનમાં રહ્યા હતા. એક સૂકા પદાર્થ પર નજર સ્થિર કરી, પાંપણનો પલકારો પાડ્યા વગર એ તપ કરવાનું હતું !
તપસ્વીની એ રાત્રિ એકાએક કાળરાત્રિ બની ગઈ! મલેચ્છ દેશમાં સાધુસંતોને કોણ પિછાણે ? અહિંસા-સત્યનો મહિમા કોણ જાણે ? - રાત જામતી ગઈ, ને ચારે તરફ ભૂત રડતાં હોય, ચુડેલો રાસડા લેતી હોય ને પિશાચો પોકાર પાડતા હોય, એવા અવાજો સંભળાવા લાગ્યા. હવામાં દુર્ગધ વહી રહી. નાક સડાવી નાખે તેવી એ ઉગ્ર વાસ હતી ! એકાએક ધૂળનો બવંડર ઊઠ્યો. તમામ પ્રદેશ ધૂળથી રજોટાઈ ગયો. મહાવીરનાં પણ કાન, નાક, મોં બધું ભરાઈ ગયું, પણ સહુથી વધુ પીડા તો નેત્ર અનુભવી રહ્યાં. નેત્ર ખુલ્લાં રાખવાની પ્રતિજ્ઞા હતી. નેત્ર ધૂળથી ભરાઈ ગયાં, તોય પોપચાં તો અણનમ રહ્યાં !
આ બવંડર ધીરે ધીરે શમતો ચાલ્યો, ત્યાં એકાએક કીડીઓ ઊભરાઈ ઊઠી. સોય જેવા તીવ્ર મુખવાળી એ કીડીઓ, મહાવીરના દેહ પર રાફડો જમાવી બેઠી. આખો દેહ સૂજી ગયો.
આ ઉપદ્રવ ચાલુ હતા, ત્યાં પવનની લહેરખી પર બેસીને ધમધમ કરતું ડાંસોનું ઝોકું આવ્યું. ડાંસોએ વસ્ત્રરહિત મહાવીરને જોયા, ને જાણે આકડે મધ ભાળ્યું. મહાવીરને તો હાથની આંગળી પણ ઊંચી કરવાની નહોતી. ડાંસોએ પોતાની ઝરી સૂંઢ વાટે અંદરનું લોહી બહાર કાઢ્યું, ને મહેફિલ જમાવી.
કીડી ને ડાંસ પેટ ભરી રહેવા આવ્યા, ત્યાં એકાએક લાલ મોંવાળી ઘીમેલો સાગમટે નોતરાં લઈને આવી પહોંચી. સામે મોંએ સમશેરના ઘા ઝીલનાર ભલભલો રણોદ્ધો, એક નાનીશી ઘીમેલ પાસે તોબા પોકારી ઊઠે, તો આ તો હિસાબ વગરની ઘીમેલો ! મહાવીરનો દેહ ચાળણી જેવો થઈ ગયો, પણ મોં પર દુઃખની એક રેખા પણ ક્યાં જોવા મળે ?
સ્વદેહ એમને માટે પરદેહ સમો બન્યો હતો. એક વૈદની રીતે-તટસ્થભાવેદરદીની વેદનાનું એ નિરીક્ષણ કરી રહ્યા. હવે વીંછી આવ્યા. અગ્નિના ડામ કરતાં ઉગ્ર ને ભાલાના પ્રહાર કરતાં તીક્ષ્ણ એમના ડંખ હતા. પછી નોળિયા આવ્યા. ઉગ્ર દાઢોથી ભગવાનના દેહમાં બટકાં ભરવા લાગ્યા ! આ પછી સર્પ સંગમવિજય રુ ૧૩૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org