SearchBrowseAboutContactDonate
Page Preview
Page 57
Loading...
Download File
Download File
Page Text
________________ સનદાએ નીરખેલી અયોધ્યા નામ * * * * * * * * સરયૂના સુભગ સલિલને આજ એક ધન્ય દૃશ્ય નીરખવા મળ્યું હતું. એના તીરપ્રાંતની સુવર્ણરજ પર થઈને એક માનવજૂથ જયજય નાદ બોલાવતું કુળકરોની નગરી તરફ આગળ વધતું હતું. આ જૂથના અગ્રભાગમાં એક શિશુયૌવના મંથર ગતિએ ચાલી રહી હતી. યૌવન માનવદેહ પર આટલું સારપૂર્ણ ભાસતું હશે, એ તો એને જોઈને જ કહી શકાય. એના હાથમાં એક લાલ કમળ હતું. કાળા રેશમ જેવા છૂટા કેશ પાની સુધી ઢળતા હતા. લાક્ષારંગથી રંગેલ ન હોય, એવી એની પગની પાનીઓ રેતી પર કંકુ ઢોળતી હતી. બીજના ચંદ્ર જેવા લલાટમાં શંકુ આકારનું પાન તિલકને સ્થાને મૂક્યું હતું. ગળામાં શ્વેત પુષ્પોની માળા પડી હતી, જે ઉન્નત પયોધરો પર દાંડીની જેમ પછડાતી હતી. એનાં ચંચળ નયનમાં ઉલ્લાસ હતો. ધીરે ધીરે લીલાકમળ આમતેમ ડોલાવતી એ ચાલતી હતી. પાછળ મોટું જૂથ ચાલી રહ્યું હતું. “અરે, કેવી રૂપરૂપના અંબારસમી નારી ! છતાં સંસારમાં એકલી ! એનું કોઈ નહીં !” સમૂતીરવાસી કુળો એકઠાં થઈ ગયાં હતાં. આ નવા જૂથ તરફ જોઈ તેઓ ટીકા કરતાં હતાં. “આવું રૂપ તો આપણે જોયું નથી,” એકે કહ્યું. ઇંદ્રપુત્રી છે.” “અરે ઇંદ્રપુત્રી હોય કે ગમે તે હોય, પણ એકલી ને ? સાથી વિનાના જીવનને શું કરવાનું ? સાથી વિના શું જવાય ?' પાછળ મોરવા રૂપરૂપનરવાસી કુળો એ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy