SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ અમારાથી જોવાતી નથી. શું આપનું રાજ્ય કોઈએ પચાવી પાડ્યું, ને આપને દેશવટે કાઢ્યા ? અરે, વૃષભધ્વજ જેવા નાથ હોવા છતાં આપ આવા અનાથ કાં બની ગયા ? આ જીર્ણશીર્ણ વલ્કલ ને અંગરાગ વગરનો દેહ આપની દરિદ્રતા દર્શાવે છે. આ વટવૃક્ષની જટા જેવી આપની જટા અમારાં હૈયાંને ભેદી નાંખે છે. કૃપા કરીને અમને આપનો વૃત્તાંત કહો.” “પુત્રો !” વયોવૃદ્ધ તાપસો કચ્છ અને મહાકચ્છ બોલ્યાં, “પૃથ્વીનાથે તમને પ્રવાસે મોકલ્યા પછી, એકાએક સાપ કાંચળી છોડે એમ પોતાનું લેખાતું બધું– રાજપાટ, સેના ને સમૃદ્ધિ, અરે માતા ને પત્ની, પુત્ર ને પરિવાર વગેરે સર્વસ્વ તજવાનો નિર્ણય કર્યો. એમણે પોતાનું રાજ્ય ભરત વગેરે પુત્રોને વહેંચી દીધું. બધે ખબર કહાવી કે જેને જે વાંછિત હોય તે આવીને લઈ જાય. આ પછી એક દિવસ તેઓ સર્વસ્વનો ત્યાગ કરી વન તરફ ચાલી નીકળ્યા. સ્વામીના વફાદાર સેવકો તરીકે અમે એમની સેવામાં ૨હેવાનો નિર્ણય કર્યો, ને અમે પણ રાજપાટ તજીને એમની પાછળ ચાલી પડ્યા.” યોગ્ય જ કર્યું, પિતાજી ! જ્યાં સ્વામી ત્યાં સેવક વારુ. તો પછી પૃથ્વીનાથ અહીં કેમ દેખાતા નથી! અમને દર્શાવો, એટલે અમે પણ એમનાં દર્શન કરીને પાવન થઈએ.” “પુત્રો ! પછીની કથા અમને શરમાવનારી છે. જેઓ ગમે તેવા ભયંકર સંગ્રામમાં કદી પીઠ બતાવતાં નહોતા શીખ્યા, તેઓએ અહીં આ નવા જપ-તપના સંગ્રામમાં પીઠ બતાવી. પૃથ્વીનાથે તો અયોધ્યા તજી ત્યારથી ખાન છોડ્યું, પાન છોડ્યું, નિદ્રા છોડી, આરામ છોડ્યો છે, પુત્રો, ચાલતાં તો કદી થાક ન લાગે, પણ ખાધા વિના કેમ ચાલે ? જલપાન વગર કેમ જિવાય ? અમને હતું કે સ્વામી કદી થાકશે ને આ બધું સ્વીકારશે. પણ એ તો ન થાક્યા; થાક્યા અમે. થાકીને અમોએ તેઓનો સાથે છોડ્યો.” “તો પછી આ વેશ કાં ? તમારી સમૃદ્ધિ કયાં ?”’ “પુત્રો, રાજ તો છોડીને નીકળ્યાં હતાં. છાંડેલાને ફરીથી ગ્રહાય ? ભલે પૃથ્વીનાથને અનુસરી ન શક્યા, પણ એમને સ્મરીને અહીં પર્ણકુટીઓ બાંધીને રહીએ છીએ, ભરતના રાજ્યમાં જવાનું દિલ થતું નથી. માગ્યું રાજ કદાચ ભરત આપે, પણ એક ભવમાં બે સ્વામી શોભે ખરા ? અમે અહીં રહીએ છીએ, ને હવે અહીં જ રહી સ્વામીના આચારનું અલ્પાંશે પણ અનુસરણ કરીશું. રાજથી સર્યું ! ૨૮૪ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy