SearchBrowseAboutContactDonate
Page Preview
Page 302
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ અવર દેવ નહીં યાચું ગંગાતટના રળિયામણા પ્રદેશમાં સ્થપાયેલા નવા તાપસઆશ્રમોમાં જ્યારે બે પ્રવાસીઓ પ્રવેશતા હતા ત્યારે યજ્ઞની ધૂમ્રશિખાઓ આકાશમાં ઊંચે ઊંચે ચઢતી હતી. પ્રવાસીઓને ખભે ધનુષ્ય બાણ હતાં, કમર પર વિશાળ ખગ હતાં. આખા દેહ પર વળગેલી ધૂળ એમની દૂરના પ્રવાસી તરીકે પિછાન કરાવતી હતી. આશ્રમોની પર્ણકુટીઓ તાજી બંધાયેલી હતી. હજી હરણાં મનુષ્યરવથી થોડાં સાશંક હતાં; કોઈને પાસે આવતાં જોઈ ઠેકીને દૂર ચાલ્યાં જતાં, પણ કપોત, મયૂર ને કપિવૃંદ પૂરેપૂરાં પરિચિત થઈ ગયાં હતાં. આંગણામાં ધેનુઓ ઓછી હતી, પણ દૂધના ઘડા છલકાતા પડ્યા હતા. રાજવંશી તેજવાળા તાપસો ત્યાં અડધે પેટ રહેતા, અર્ધ જીવે વસતાં. સ્વજનો એમણે છોડ્યાં હતાં, સંસાર સાથેનો સંબંધ એમણે છાંડ્યો હતો, અંગરાગ, વિલેપન સર્વનો એમણે ત્યાગ કર્યો હતો. એમણે પંચકેશ રાખ્યા હતા. જટાઓ વધારીને માથા પર બાંધી હતી. દેહ પર એકાદ વલ્કલ રાખ્યું હતું. તેઓ સદા પગપાળા ચાલતા ને કોઈ જીવને હાનિ ન પહોંચે તેમ વર્તતા. આ પ્રવાસીઓએ ગંગાના કાંઠે સ્નાન કરતા બે વયોવૃદ્ધોને દીઠા. દાઢીમૂછના કાતરા વચ્ચે છુપાયેલાં મોંમાં કંઈક પરિચિત અણસારો જણાયો. તેઓ નજીક ગયા, ને ધ્યાનથી જોતાં તરત બૂમ પાડીને ધસ્યા : “પિતાજી, આપની આ દશા ?”’ બંને જણ એ વયોવૃદ્ધ પુરુષના પગમાં પડી ગયા. “પિતાજી અમે આપના પુત્રો નિમ ને વિનમિ. આપની આ દશા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy