SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ હવે એવી ઉપાધિમાં પડવાનું દિલ થતું નથી.” “પિતાજી ! અમે પણ આપના જ પુત્રો છીએ. અમે પણ કદી અવર સ્વામીને નહીં યાચીએ. અમને બતાવો કે તેઓ કઈ દિશામાં ગયા છે. અમે તેમની પાસેથી અમારું મનવાંછિત મેળવી લઈશું.” સૂરજ ઊગે એ દિશામાં ગયા છે. જાઓ ને પ્રયત્ન કરો ! પણ સિદ્ધિ કદાચ જ સાંપડે.” ઉત્સાહી બંને પ્રવાસી કુમારો, થોડીએક વાતચીત બાદ, ઊગમણી દિશા તરફ ચાલ્યા. થોડે દૂર જતાં નિર્જન જંગલો આવ્યાં. કદી સિંહની ગર્જના સંભળાય, તો કદી રીંછના ઘુરકાટ કર્ણગોચર થાય. મોટામોટા અજગરો ઝાડ પર ઝૂલતા પડ્યા હોય. અરે, ન કેડી છે, ન માર્ગ છે. પ્રભુ શી રીતે આ પ્રદેશમાં વિહરતા હશે ! અરે, આ કાંટાઓની વચ્ચે પ્રભુનાં પગલાં દેખાય છે, કાંટા પણ કેવા અધોમુખ થઈ ગયા છે ! એમનેય કોઈને દર્દ પહોંચાડતાં દર્દ થતું લાગે છે. ચાલો, જરા ઉતાવળા ચાલીએ ! ગંગાનાં તટવર્તી વનો ઉપર સંધ્યા ઊતરી આવે એ પહેલાં સ્વામીને ભેટી પડીએ. બંનેએ પગ ઉપાડ્યા, આખો દિવસ ચાલ્યા જ કર્યું. સાંજ થતાં સૂરજમુખી ફૂલ જેવું પ્રભુનું મસ્તક દેખાયું. બંને કુમારો દોડ્યા ને પ્રભુની પાસે પહોંચી ચરણમાં મસ્તક ઝુકાવ્યું; બોલ્યા : સ્વામી, અમને બહાર મોકલી શા માટે છેહ દીધો ? આપે ભરત વગેરેને પૃથ્વી વહેંચી આપી, સહુને મનવાંછિત આપ્યું; અને એક અમને ગાયના પગની ખરી જેટલી પણ જમીન ન આપી !' સ્વામી તો શાન્ત ઊભા છે. એમનાં કર્ણદ્વાર જાણે આવી વાતો માટે સદા બિડાયેલાં છે. “હે સ્વામી, અમને ભૂમિ આપો ! અમારો એવો તો શો દોષ છે, કે આપ કંઈ ઉત્તર પણ વાળતા નથી ?”’ સ્વામી તોય નિઃશબ્દ છે. “હે સ્વામી, તમે બોલો યા ન બોલો, અમે આપની પાસેથી Ğત્ત૨ લીધા સિવાય ખસવાના નથી. અમારી સેવાઓ અલ્પ હશે, તો નવી સેવાઓથી એ વૃદ્ધિ પામશે.” Jain Education International અવર દેવ નહીં યાચું * ૨૮૫ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy