SearchBrowseAboutContactDonate
Page Preview
Page 292
Loading...
Download File
Download File
Page Text
________________ “વિવેક વિશે કંઈક કહો.” “તમે ચાલો, બેસો, સૂઓ, ઊભા રહો, ગાઓ, નાચો, ક્રીડા કરો કે ભોજન કરો– બધામાં વિવેક મર્યાદા જાળવજો. સરખી રીતે પડેલું મીઠું તમારી રસોઈને રસવતી બનાવશે, અતિશયતા એને અખાદ્ય કરશે.” “ગર્વ વિશે કંઈક કહો.” “ગર્વ જે કદી ખુમારીની સાથે ભળીને આવે છે, એને પિછાણજો. તમે આકાશ જેવા મોટા છો કે તણખલા જેવા હલકા છો, એવી વાતો ન સાંભળશો. તમારા ઘરમાં રહેલ અગ્નિ ગમે તેટલો સારો હોય પણ એને ખૂબ ઊંચે ચઢાવશો, તો એ તમારું છાપરું બાળીને ભસ્મ કરશે. અને પૃથ્વીમાં દાટી દેશો તો એ ગરમી નહીં આપે.” “પુરુષકાર વિશે કંઈક કહો.” “પુરુષકાર-પરાક્રમ-પુરુષાર્થથી કદી પાછા હઠશો નહીં, કે નિષ્ફળતાથી નિરાશ થશો નહીં. આશામાં ઉમંગી રહેનાર કરતાં નિરાશામાં ઉમંગી રહેનારનો પુરુષાર્થ ધન્ય હોય છે. કૂવો ખોદવા ઇચ્છનારને કોઈ વખત બે વામ વધુ ખોદવું પડે, પણ તેથી એ કદી હારતો નથી. છીછરાં જળ જેટલાં મીઠાં હોય છે, એથી ઊંડાં જળ વધુ મીઠાં હોય છે.” યજ્ઞ વિશે – અગ્નિ વિશે કંઈક કહો.” યજ્ઞ એટલે અર્પણ. તમે માત્ર એને કાષ્ઠ, ધૃત કે સમિધ અર્પણ કરતા નથી, પણ એ દ્વારા એમ સૂચવો છો કે જરૂર પડ્યે અમે જીવન પણ આપીશું. સારા કામ માટેના દેહના અર્પણની ભાવના એનું નામ યજ્ઞ. સારા થવા માટે મનના કષાયોનો હોમ એનું નામ યજ્ઞ. તમને જીવન આપનાર, તમારા આંગણાના અગ્નિને તમે કદી બુઝાવા દેતા નથી, તેમ તમારા દિલના અર્પણના આતશને પણ ઠંડો પડવા દેશો નહીં. યજ્ઞ–અર્પણ એ તમારા જીવનનું મહાન પ્રતીક હજો !” યૌવન વિશે કંઈક કહો.” “તમારું યૌવન આંધીના જેવું નહીં, મલયાનિલની લહરીઓના મસ્ત સ્વભાવવાળું હોવું ઘટે. ભલે પછી એ બટમોગરાની ડાળ જેવું સુગંધી ન હોય; પણ કેસૂડાંની કળીઓ જેવું રંગીન હશે તો પણ ચાલશે. કેસૂડાં જાતને રંગી જાણે છે, એમ એના સ્પર્શનારને પણ રંગવાની શકિત ધરાવે છે.” “આચાર વિશે કંઈક કહો.” વિશ્વતોમુખ ર૭૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy