SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ જિજીવિષાનું જુદ્ધ દિવસો વીત્યા, પણ આ પૃથ્વી પર પ્રગટેલા પહેલા રુદનના કરુણ સ્વરો હજી બંધ થયા નહોતા. એકલતાનાં આક્રંદ, અનાથતાનાં અરુણ્યરુદન આ પૃથ્વી પર પહેલી વાર પડઘો પાડતાં હતાં. આકાશમાંથી પાણી વરસે, પૃથ્વીના પેટાળમાંથી જળ ઝરે, ડુંગરાના હૈયામાંથી ઝરણજળ ખળભળે; પણ માનવીની આંખોમાંય મેઘ વસતા હશે ? અને શું એ વરસતા પણ હશે, ભલા ? યુગલિકોના ભર્યા યુગલ-સંસારમાં આ નારી એકલી ! નર ન ઊઠ્યો. અરે, એનું શબ પણ હજી એમ ને એમ પડ્યું હતું. આ સંસારમાં યુગલિકોના *મૃત કલેવરને આકાશના કોક સીમાડે વસતાં મહાપક્ષીઓ આવીને લઈ જતાં; લઈ જઈને માળામાં રહેલ કાષ્ઠની જેમ સમુદ્રમાં ફેંકી દેતા. પણ આ નરને લેવા એવાં કોઈક મહાપક્ષીઓ પણ આવતાં દેખાતાં નહોતાં. એમની પાંખોના સુસવાટા કદી કદી સંભળાતા, ઊંચે ઊંચે કાળા ધાબાં જેવાં એ ઊડતાં દેખાતાં, ને થોડી વારે, જાણે શબને લઈ જવાનો નિષેધ X જિજીવિષા- જીવવાની ઇચ્છા ફિગીષા - જીતવાની ઇચ્છા જિજ્ઞાસા - જાણવાની ઇચ્છા * ૨ તિમ સંસ્કારની આ પ્રથા પ્રાચીન કાળમાં ત્રણ પ્રકારની હતી : એક તો પક્ષીઓ આવીને લઈ જતાં, આજે પારસીઓમાં છે તેવી કંઈક; બીજી દાટવાની, મુસલમાનોમાં છે તેવી; ને ત્રીજી બાળવાની, મુખ્યત્વે આજના હિંદુ સમાજમાં છે તેવી. For Private & Personal Use Only Jain Education International. www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy