SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ લાગશે, દેશદેશની સાથે વિનિમય વધારશે. એ વેળા તારા ગણિતની જરૂર પડશે. સોનાનો એક ઢગલો કેટલા શંખની બરાબર ને કેટલા શંખ એક ગાયની બરાબર, એવાં માપતોલ માટે તારી વિદ્યા આવશ્યક થશે. એ દ્વારા તું અછતવાળું માનવજીવન છતવાળું કરી શકીશ.” પૃથ્વીનાથનું આ વિવેચન એટલું ઊંડાણવાળું હતું કે ભાગ્યે જ થોડા સમજ્યા હશે. “આપણું હોય તે આપી દેવાનો ધર્મ હું સ્વીકારવાનો છું. સ્ત્રી, પુત્ર, પરિવાર, શહેર, નગર ને આવાસોને તજી દેવાનો કાળ મારે માટે નજીક આવી રહ્યો છે.” શું મને પણ તજી જઈશ ?” માતા મરુદેવાનો સાદ સંભળાયો. માતાજી, ત્યાગ અનિવાર્ય છે. અષ્ટાપદની શોધ માટે મેં તમને તજ્યાં હતાં કે નહીં ? આ તો એથીય ભારે શોધ છે. અદશ્ય શત્રુને જીતવા જવું “ના, વૃષભ, તું મને તજીને ન જઈશ.” માતા, તમે એમ વચન આપી શકશો કે મને તજીને તમે કદી જશો નહીં ? મારા પિતાએ જતી વેળા તમને પૂછ્યું હતું ?” માતા કાંઈ જવાબ આપી ન શક્યાં. દેવી સુમંગલા નજીક આવ્યાં. એમણે પૃથ્વીનાથની બાંહ્ય પકડી કહ્યું : “હું તો જીવનમાં કે મૃત્યુમાં તમારી સાથે જ રહીશ.” દેવી, હવે એ અશક્ય છે. જે પ્રકારની શોધમાં હું જાઉં છું, ત્યાં તમારું સ્થાન નથી. એક આત્મપ્રાણ પ્રિયસખી તરીકેની તમારી ફરજ છે કે મને ન રોકવો. સુનંદા યાદ આવે છે ને ? એને કોઈ રોકી શક્યું ? એ કોઈને પોતાના પરોક્ષ પ્રવાસમાં સાથે લઈ શકી ? છેલ્લો પ્રવાસ તો સહુ માટે એકલવાયો છે.” અને પૃથ્વીનાથે બધી ચર્ચા સમેટતાં કહ્યું : ભરત, દેશદેશ જાહેર કરી દે, કે પૃથ્વીનાથ જેને જે જોઈએ તે આપી રહ્યા છે. ઇચ્છાવાળા આવીને લઈ જાય. પોતાના પુત્રો માટે સુરાજ્ય, સુકીર્તિ ને સૌષ્ઠવયુક્ત શરીર સિવાય તેઓ કંઈ શેષ રાખવા માગતા નથી.” પૃથ્વીનાથનો નિર્ણય અને નવા રાજવી ભરતદેવના શાસનની જાહેરાત બધે થવા લાગી. ૨૬૦ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy