SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ એના બળે તો આ પશુતુલ્ય માનવોમાં સંસ્કૃતિનો પ્રચાર થયો. આજે સ્વર્ગની જે કલ્પના સહુ કરતા, તે પૃથ્વી પર પ્રત્યક્ષ થયું – તે એ મંત્રનો જ પ્રતાપ ! આપ પોતે જ કહેતા નહોતા કે શત્રુને હણો, મિત્રને મળો, વડીલોને પૂજો, મૃદુને મૃદુતાથી, ખલને ખલત્વથી, સાધુને સાધુત્વથી સન્માનો – એ શું આપનો મત્ર નહોતો ?” હતો – અને છે; પણ દરેક વસ્તુના ઉત્તમ, મધ્યમ ને કનિષ્ઠ પ્રકાર હોય છે. માનવજાતનો અરિ કોણ ? શું માનવ ? પશુ ? ભરત, તું તો હા કહીશ. તારો પ્રતાપી સ્વભાવ એટલી ઝીણવટમાં નહીં ઊતરી શકે, પણ મેં ખૂબ નિરીક્ષણ કર્યું છે. ખિલખિલાટ કરતો મનુષ્ય એની એ કોપમગ્ન દશામાં કેવો ભયંકર ભાસે છે ? માનવી તો એકનો એક છે, પણ હસતો ને કોપ કરતો – એ બે વચ્ચે એટલો ભેદ કાં ? એકને કહો તો સર્વસ્વ આપી દે, બીજાને કહો તો ક્ષણભરમાં માનવીને મારી નાખે ! આપતો ને મારતો – બંને માનવી એક જ છે, પણ એની અંદર કોઈ એવું તત્ત્વ છુપાયું છે – જે માનવીને પલટી નાખે છે, અને એ જ માનવીનો અરિ છે. વનના વાઘને વશ કરવો સહેલો છે, મનની અંદર બેઠેલાને વશ કરવો દુષ્કર છે.” “પિતાજી, દુષ્કર તો કંઈ નથી. આ બાહુને, આ પ્રતાપને શું અશક્ય છે ? આપનું આ વિધાન કંઈ સમજાતું નથી ! આપની દૃષ્ટિએ ત્યારે માનવી માનવીનો દુશ્મન નથી ?” ના, બંનેને દુશ્મન બનાવનાર અરિ તો અંદર છુપાઈને બેઠો છે. એ ધારે ત્યારે ભોળાભલા માનવીને સુરામત્ત શરાબીની જેમ ઉન્મત્ત બનાવી નાખે છે, ને ન કરવાનું કરાવી લે છે. કામ પતી ગયે પેલો અરિ પાછો છુપાઈ જાય છે – ને માનવી જાણે નિદ્રામાંથી જાગતો હોય તેમ સ્વસ્થ થઈ વિચારે છે : “અરે, મેં આ શું કર્યું ? વળી પાછા પેલા છુપાયેલા “અરિ જાગ્રત થાય છે, ને માનવીને વિચારાંધ બનાવી કંઈનાં કંઈ કૃત્ય કરાવે છે. ભોળો માનવી, જેને બીજું જ્ઞાન નથી, એ એમ માને છે કે બીજો માણસ એનો “અરિ છે, પણ એને કોણ સમજાવે કે તારો દુશ્મન તો તારી ભીતરમાં જ બેઠો છે ?” “તમારી વાતો ધીરે ધીરે દિલને સ્પર્શે છે, તો પિતાજી, શું ગુનેગારોને મુક્ત કરી દઉં ?” “ક્ષમા મોટી વસ્તુ છે. કદાચ તેઓને પણ અંતરના અરિને પરખવામાં મદદ કરે. જે નવીન શાસનના નિર્માણના વિચારમાં હું નિમગ્ન છું, એમાં નવું શાસન ૪૨૨૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy