SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્જેયતાનો વારસો એને મળ્યો હતો. ગૌરવની પ્રતિમા-શો એ પોતાની જાતને પોતાની અહંતાને કદી વીસરી ન શકતો. માતાએ એક વખત પાસે બેસાડી કહેલું : “વત્સ, તું ચક્રવર્તી છે. તારા રથનું ચક્ર જ્યાં ફરે એ પૃથ્વી તારી થશે. તારા ચક્રનો ચીલો એ તારી સીમા બનશે. ત્યારથી ભરતની મહત્ત્વાકાંક્ષા ભભૂકી ઊઠી હતી. એ ચાલતાં-ફરતાં એ જ વાતનો વિચાર કર્યા કરતો. એમાં વળી આર્ય રાજાઓના શિરોમણિ રાજા દેવયશની પુત્રી વૃષભશ્રી માટે ઇચ્છા કરી ને પિતાજીએ તરત તેની પૂર્તિ કરી; સુંદરી માટે પોતાના દિલમાં સ્થાન થયું ને પિતાજીએ યુગલિકધર્મનિવારણને બહાને એને પ્રોત્સાહન આપ્યું; આમ સંસારનાં સમર્થ માતા-પિતા પોતાની ભાવના પાછળ ખડાં હોય પછી એને જગતની શી પરવા ? આમ, બેપ૨વા બનતો ભરત અજેય યોદ્ધો બની ગયો. એના દિલમાંથી ભય ભાગી ગયો, અશક્યતાઓ સરી ગઈ : નિષ્ફળતા તો જાણે એણે જોઈ જ નહોતી. આમ થતાં એની મહત્ત્વાકાંક્ષા પાસે ભલભલા નમવા લાગ્યા. એની ભ્રમરો પર દુર્જેય ગૌરવ આવીને સ્થિર થઈ ગયું. એના ચાપ પર શત્રુને ભેદી નાખનારું બળ આવ્યું. પ્રેમભર્યો ભરત સ્નેહનો અવતાર ભાસતો. કોપભર્યો ભરત પ્રલયની બીજી પ્રતિમા-શો દેખાતો. સત્તાનો અવતાર ભરત પિતાજીના રાજ્યને સામ્રાજ્યના રૂપમાં પરિણત કરવાનાં સ્વપ્ન સેવવા લાગ્યો. અનેક કુળોમાં અનેક રાજાઓ હતા. પિતાજીની કૃપા તેમના પર વરસતી. અતિકૃપા તેમને કદી શાસનસૂત્રના ભંગ માટે પણ પ્રેરે ! કોઈની કૃપાનો સદા કંઈ સદુપયોગ થોડો થાય છે ? મહાબલી ભરત એ સહુને એકસૂત્રે બાંધી સાર્વભૌમ ચક્રવર્તી બનવાના કોડ સેવવા લાગ્યો હતો. પિતાજીએ જે દર્શન આપ્યું, જે શાસન આપ્યું, જે સંસ્કાર આપ્યા એને લોપ પામતાં જોવાં એ તૈયાર નહોતો. બળ વાપરવું પડે તો બળથી પણ સંસારને પિતાજીના શાસનને સેવતો જોવા એ ઇચ્છતો. મહાસેનાપતિ સુયોધની પરાક્રમશીલતા એના મનને મુગ્ધ કરી રહી હતી. પિતાજી જુવાનીમાં વીરત્વની મૂર્તિ હશે, પણ પોતે જોયા ત્યારથી એ ઉદારતાની મૂર્તિ હતા. દયા એમનું મોટું ધન હતું. કરુણા એમની મોટી શક્તિ હતી. સામ, દામ, દંડ ને ભેદની નીતિના પ્રવર્તાવનાર પિતાજી જેટલો કોમળ વ્યવહાર થાય તેટલો કરતા. પણ દયા ને કરુણાથી કાંઈ સંસારનો સુંદરી અને ભરત ૨ ૨૦૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy