SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ સુંદરી અને ભરત કાળનો પ્રવાસ વેગભર્યો થયે જતો હતો. દેવી સુમંગલાએ આ પછી અનેક પુત્રોને જન્મ આપ્યા હતા. રાજકુમાર ભરતને પણ રાણી વૃષભશ્રીથી પુત્રપ્રાપ્તિ થઈ હતી. સુયોધ ફરી પ્રવાસે ઊપડી ગયો હતો. અનેક કુળોની રચના, જનપદોથી સ્થાપના ને તેના રાજાઓની નિમણૂકના સમાચારો નિરંતર આવ્યા કરતા હતા. સુંદરીએ પ્રજાના વ્યવહાર માટે માપતોલ નક્કી કર્યા હતાં, ને બ્રાહ્મી એના લિપિના કાર્યમાં મશગૂલ હતી. સહુ યૌવનની ડાળે ઝૂલી રહ્યાં હતાં. કામદેવનો અવતાર કહેવાતો કુમાર બાહુબલી ધનુર્વિદ્યા, મલ્લવિદ્યા, હસ્તિવિદ્યા ને અશ્વવિદ્યામાં નિપુણ બન્યો હતો. અયોધ્યાની અનેક સુંદરીઓ એને વરવા તલસતી હતી. એની હસ્તિકાન્ત વીણા પાછળ તો બધાં મુગ્ધ હતાં. એના બિંબફળ જેવા આરક્ત હોઠ પર બેસીને બોલતો વંશવૃક્ષનો ટુકડો સહુનાં હૃદય વીંધતો હતો. એનાં નદીના તરંગ જેવાં કાળાં ભમ્મર જુલફાં ગૂંથવાને અનેક યુવતીઓ ઉત્સુક રહેતી. પૃથ્વીનાથે બ્રાહ્મીને એને સોંપી હતી, પણ એ બાબતમાં બાહુબલીને રસ નહોતો. કૃષ્ણ પક્ષના ચંદ્રની જેમ ઉત્તરોત્તર ક્ષીણ થતી જતી માતા સુનંદા તરફ તેના વાત્સલ્યની અપૂર્વ સરવાણી વહેતી હતી. કુમાર ભરતની પ્રવૃત્તિ આ સહુથી ભિન્ન હતી. માતા પાસેથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy