SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ મૂળથી ઉખડી ગયેલાં કમળનાળનાં તંતુઓ તરનારના પગને વીંટળાઈ વિઘ્ન કરવા લાગ્યાં : બે-ચાર વેલાઓને દૂર કરી નાખવાનું શરૂ કરે ત્યાં તો બીજા બે-ચાર આવીને પગે ને હાથે નાગપાશ સમા વીંટાઈ વળે. આમ રમત જ ન જામે ! “અરે, આજ તો કંટાળો ઊપજે છે. મારું શરીર આખું કમળનાળના તંતુથી છવાઈ ગયું છે,” એક કિશોરીએ શરીર પરથી વેલાઓ દૂર કરતાં કહ્યું, ને સાથે ઉમેર્યું : “અરે, આવા સ્થાનથી સર્યું ! હું તો આ ચાલી.” અને ચૂડા આકારની વેણીવાળી એ કિશોરી જળમાં છબછબિયાં બોલાવતી જળથી બહાર નીકળવા પગલાં માંડી રહી. વૃષભશ્રી, કયાં જાય છે? અરે, આ હાથીઓને તો હમણાં હાંકી કાઢ્યા સમજો !” એક કાંતિમાન યુવક આગળ આવ્યો, અને પાણીમાં તરતાં તરતાં આવીને વૃષભશ્રીનો માર્ગ રોકતાં એણે કહ્યું. વૃષભશ્રી રાજા દેવયશની પુત્રી હતી; કામદેવની નિશાળમાં હમણાં જ પ્રવેશી હતી. એની છટાદાર લાવણ્યરેખા સ્નાન કરવાથી વધારે ઉજ્વળ બની હતી. ભરત, આ હાથીઓ તો જંગલીના જંગલી જ રહ્યા.” વૃષભશ્રીએ ભરતને પોતાને અનુસરતો જોઈ જરા રોફ છાંટ્યો. એના કાળા કેશ નદીના તરંગો સાથે વહી રહ્યા હતા, ને પૂર્ણચંદ્ર જેવું મોં ચંદ્રના પ્રતિબિંબની આભા સમું જળની સપાટી પર તરી રહ્યું હતું. હાથીઓ તો બિચારા એમ સમજ્યા હશે કે ધોળે દિવસ સરયૂના પ્રવાહ પર આ ચંદ્રમુખ કયાંથી ?” “ભરત, તને મશ્કરી સૂઝે છે. પણ જો ને, મારા કટિપ્રદેશની આસપાસ આ કમળની કેટલી વેલો વીંટળાઈ ગઈ ! એને કાઢતાં કાઢતાં હું તો થાકી ગઈ.” “કોઈ સુંદરીના કટિપ્રદેશ પર કમળવેલ ન વીંટાય તો શું હાથીની સૂંઢ વીંટાય ? લાવ, હું દૂર કરું.” ભરત ધીરેથી દૂર સર્યો, ને એણે વૃષભશ્રીને કમરથી પકડી ઊંચકી લીધી. અરર, આ હાથ છે, કે હાથીની કર્કશ ચૂંઢમારી કટિ દુઃખી ગઈ ! અરે, એના કરતાં કમળવેલ શું ખોટી હતી ? ભરત, હાથીઓને દૂર કરવા હોય તો કર, નહીં તો મારો માર્ગ મૂકી દે !” ૧૮૮ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy