SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ જલક્રીડા શરદની શોભા વિદાય લઈ રહી હતી. વસંતશ્રીનું આગમન નજીકમાં હતું. એ આગમનના સૂચક સમાં કિશોર ને કિશોરીઓ સરયૂના અગાધ જળમાં ક્રીડા કરવા આવી પહોંચ્યાં હતાં, સાથે કેટલાંક સમવયસ્ક મિત્રોને લેતાં આવ્યાં હતાં. ' સરયુતટ પર આજ સવારથી ભીડ હતી. અયોધ્યાની ગજશાળાના હાથીઓ પણ જલસ્નાન માટે છૂટ્યા હતા. વનના આ મહારથીઓ ઘણે દિવસે મુક્ત વાતાવરણમાં મહાલતા હતા, એટલે આજ કોઈનાં બંધન સ્વીકારે તેમ નહોતું. તેઓએ સરયૂતીરનાં વાંસનાં જંગલોમાં કૂણાં પર્ણ ચરીને, કમળના ડોડાનો મુખવાસ કરીને, એનાં સુંદર પત્રોને વેલ સાથે ઉખેડીને સરયૂના સુવાસિત જળને ફરી ડખોળી મૂક્યું હતું. વસંતશ્રીના સ્વાગતે આવેલા રાતી ચાંચવાળા રાજહંસો પણ આ મદઘેલા ટોળાથી દૂર રહીને તરતા હતા. પેલાં જલક્રીડા માટે આવેલાં કિશોર અને કિશોરીઓએ પણ તટ પર બેસી સૂર્યસ્નાન કરતાં કરતાં એકબીજાની દેહ પર ગોચંદન, કપૂર ને કસ્તુરી ઘસ્યાં હતાં, અને પછી હાથના આંકડે આંકડા ભીડી જળમાં પડ્યાં હતાં. આ બધાં કિશોરોમાં ત્રણ કિશોરીઓ અને બે કિશોરો સહુથી જુદાં તરી આવતાં હતાં. થોડીએક વાર સહુ જલક્રીડામાં મગ્ન રહ્યાં, પણ જોતજોતામાં કમળના વેલાઓ ને તંતુઓ તેઓનાં શરીરને, તેઓના કેશને વીંટી વળવા લાગ્યાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy