SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ને એક જરૂરિયાતવાળા પ્રદેશથી બીજા જરૂરિયાતવાળા પ્રદેશ સુધી વસ્તુઓની લાવ – લઈજા કરવા માટે સાર્થવાહોની યોજના કરી હતી. પોતાની સાથે દરેક બાબતમાં મંત્રણા કરી શકે તે માટે મંત્રી: પોતાનાં કુળોની પરંપરા જાળવવાનું કામ કરી શકે તે માટે પુરોહિત, દંડનીતિના પ્રચાર માટે સેનાપતિ, વ્રજ, ગોકુલ, રત્નહિરણ્ય જાળવી રાખવા માટે કોષાધ્યક્ષની તેમણે સ્થાપના કરી હતી. જે યજ્ઞકાર્ય તેમણે આરંવ્યું હતું, એમાં દિન-પ્રતિદિન વૃદ્ધિ થતી હતી. પાંચ મહાશિલ્પ– કુંભકાર, ચિત્રકાર,વાર્ધક, વણકર ને નાપિત–માંથી અનેક નાનાંમોટાં શિલ્પો પ્રગટ્યાં હતાં. નાપિતનું શિલ્પ હમણાં જ પ્રગટ થયું હતું. કુળ-વિજય માટે ગયેલા યોદ્ધાઓને માથા પરના વાળના ભારા બહુ વિજ્ઞ કરતા. કેશગુંફન માટે કે જટા માટે એમને સમય ન મળતો. પૃથ્વીનાથે તેઓને માથેથી નાપિત શિલ્પ દ્વારા એ બોજો હલકો કરાવ્યો. વાર્ધકી વિદ્યાના નિષ્ણાતોએ સુંદર પ્રકારનાં ગૃહ આવાસો, જળમાર્ગો, સ્થળમાર્ગો ને રસ્તાઓ નિર્માણ કર્યાં. આવાં તો સો જાતનાં શિલ્પ પ્રગટ કર્યા. દરેક શિલ્પને તેઓએ યજ્ઞ કહ્યો, ને એમ તેઓ શતયજ્ઞકર્તા કહેવાયા. આ યજ્ઞોની જ્વાળાઓએ પર્વતો, નદીઓ, ભૂપ્રદેશો, સીમા પર્વતો, સમુદ્રો, સાગરો, મહાસાગરો ને દ્વીપો સુધી પોતાનો ફેલાવો કર્યો. લાવારસવાળા પ્રદેશમાંથી માનવો હિમપ્રદેશ તરફ આવ્યા. હિમપ્રદેશવાળા પ્રકાશ-દેશમાં આવી વસ્યા. સ્વરક્ષણની વૃત્તિવાળો માનવ જૂથમાં વસતાં શીખ્યો, સંઘજીવન પામ્યો. એમાંથી જનપદો જમ્યા, જનપદોના જથ્થા, ગ્રામ કહેવાયા. ઘણા જનપદ એ વિશ – પ્રજા કહેવાઈ. એ પ્રજા પોતાનાં વિરોધીઓ માટે જથ્થાગ્રામને આમંત્રણ આપતી. શિંગ, હાડકાં, ધનુષ્ય ને લાકડાંનાં ભાલા ને ગદા લઈ એકઠા થનાર ગ્રામને સહુ “સંગ્રામ' કહેતા. આ સંગ્રામનો એક અધિનેતા થતો. એ હિંમતવાન માનવી લડાઈમાં મોખરે રહેતો ને માર્ગદર્શન કરતો. ઋષભદેવ પૃથ્વીનાથ બન્યા પછી તેઓએ પણ પોતાના ગ્રામપતિને રાજા બનાવ્યો. અનેક કુળોના આ રાજાઓ પૃથ્વીનાથની આજ્ઞા પ્રમાણે વર્તવા લાગ્યા, શિલ્પવિજ્ઞાનનો સર્વત્ર પ્રચાર કરવા લાગ્યા. મોટી મોટી સાત નદીઓના કિનારે આવાં કુળો રચાયાં. શિલ્પવિજ્ઞાન સંસારનું કલ્પવૃક્ષ ૧૭૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy