SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ સંસારનું કલ્પવૃક્ષ સિંહાસનોના સ્વામીના નસીબમાં શાન્તિ હોતી નથી. એમાં પણ ભય, પ્રેમ ને શ્રદ્ધાની ત્રિમૂર્તિસમા કર્તવ્યપાલક રાજવીને તો સદા ચિંતાની શય્યામાં સૂવાનું હોય છે. પહેલા પૃથ્વીનાથ રાજા ઋષભદેવ આ વાતનો અનુભવ કરી રહ્યા હતા. ગઈ કાલે જેઓનું કુટુંબ નાનું હતું, એને આજે આખી વસુધા કુટુંબ બની ગઈ હતી. કોઈ પણ સ્થળની અશાન્તિ એમના ચિત્તની શાન્તિને ભેદતી. સાગરસમ શાન્ત આ મહાન માનવીને સંસારના દુઃખે દુઃખી થવાનું હતું. કોઈક વાર કરુણાના આ સાગરને કઠોરતાની મૂર્તિ બની જવું પડતું. રાજપદના ચતુષ્પથ સમા સામ, દામ, દંડ ને ભેદની એમણે યોજના કરી હતી. પોતાના પૂર્વજોની હાકાર, માકાર ને ધિક્કારની નીતિ કરતાં આ પ્રબલ નીતિએ શાસનને વધુ સમૃદ્ધ બનાવ્યું હતું. એમનો સ્પષ્ટ આદેશ હતો, કે મૃદુને મૃદુત્વથી, સાધુને સાધુત્વથી, ખલને ખલત્વથી ને દાંડને લાલચથી વશ કરવો. તેમણે શત્રુને હણવાનું, વડીલોને પૂજવાનું ને મિત્રોને માયા કરવાનું શીખવ્યું. ૨૦ આજીવિકા માટે તૃણહાર, કાષ્ઠહાર, કૃષિ ને વ્યાપાર શીખવ્યાં. એ વ્યાપાર વિનિમયનો હતો. જે પ્રદેશમાં અશ્વ વધુ થતા, તેઓ ગોબહુલ દેશોમાં આવી અશ્વ આપી ગાય લઈ જતા. જેને નવનીતની જરૂર હોય, એ સામાને સુવર્ણ, ફળફૂલ આપીને નવનીત લઈ જતાં. જરૂરિયાતને મહત્ત્વ અપાતું, ૧૭૪ * ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy