SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ જીવજે ! આપણા કુળની એ પ્રણાલિકા છે. આપણા પૂર્વ પુરુષોની એ સાધના છે. અરિહંત બની અજાતશત્રુ બનજે. બોલો, નમો અરિહંતાણં. આપણા કુળનો આ મહામંત્ર. વત્સ, એને સદા યાદ રાખીને વિજય સાધજે !'' “નમો અરિહંતાણં.” સહુએ એ મંત્રનો પુનરુચ્ચાર કર્યો. “પિતા એ જ ગુરુ ! માતા એ જ આચાર્ય.” રાજા વૃષભદેવે ઊભા થઈ પિતાને પ્રણામ કરવા માંડ્યા. નાભિદેવે તેમ કરતાં તેમને વારીને કહ્યું : “વત્સ, સિંહાસન પર બેઠેલા રાજાને ન કોઈ પિતા કે ન કોઈ ગુરુ ! રાજા સર્વનો પિતા ને સર્વનો શાસ્તા છે. આ સર્વે વ્યવહારો રાજપ્રાસાદના છે, રાજસિંહાસનના નહીં. રાજસિંહાસન પાસે તો તું રાજા અને અન્ય સર્વ પ્રજા ! કર્તવ્યાકર્તવ્ય સાથે જ તારે સંબંધ ! તારું દર્શન, તારું શાસન, તારા સંસ્કાર જયવંતા વર્તો ! તને સંસારના રહસ્યનું જે દર્શન થયું, તેનું દર્શન સંસારને આપ ! જે શાસન તેં આજે આ કુળોને આપ્યું તે સંસારનાં સર્વ કુળોને આપ ! જે સંસ્કાર તારા જીવનમાં ઉદ્દભવ્યા એને સર્વત્ર પ્રસરાવ !’’ ઋષભદેવે નાભિદેવના આદેશને મસ્તક પર ચઢાવ્યો. આખી સભા જયજયકાર કરી ઊઠી. મહામના નાભિદેવની આ વાત સાંભળી અષ્ટાપદવાસી દેવો પણ જયજયકાર કરવા લાગ્યા, ને એમનાં દેવદુંદુભિ જોરથી ગાજવા લાગ્યાં. પૃથ્વીના પહેલા રાજા ઋષભદેવ ! પહેલા પૃથ્વીનાથના જયજયનાદથી આકાશ ગોરંભાઈ ગયું. સર્વત્ર હર્ષ ને આનંદની સૃષ્ટિ છવાઈ ગઈ. કુશળ દેવોએ વાજિંત્ર વગાડ્યાં. દેવાંગનાઓએ નૃત્ય કર્યાં. હાથી, ઘોડા ને ચિત્તાઓએ પણ પોતાના પ્રિય રાજવીને સલામી આપી. Jain Education International For Private & Personal Use Only પહેલા પૃથ્વીનાથ * ૧૭૩ www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy