SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ નથી. કેટલીક વાર આપત્તિ જ આશીર્વાદરૂપ નીવડે છે. યાદ રાખો કે તૃષાતુર માનવી જ અમીના કૂપની શોધ કરી શકે છે. મૃત્યુ, વેદના, ક્ષુધા ને નિરંતરના યુદ્ધે તમને જિજીવિત્રુ બનાવ્યા છે. પદે પદે દુઃખના ડુંગરા દેખીને તમને સુખની ઇચ્છા જાગી છે. સંતાપ ને ક્લેશનો કીચડ બાળીને કલ્યાણ તરફ જવાની તમારી ઝંખના સતેજ બની છે. એટલું યાદ રાખજો કે કલ્યાણકામી કોઈ પ્રાણીનું કદી અકલ્યાણ નહીં થાય. જેના અંતરમાં શુભની ઇચ્છા છે, એનું સદા શુભ જ થશે. “કલ્યાણના કામી એવા તમે તમારી કૂચ પણ આરંભી દીધી છે. એક મહાન અંધકારમાંથી બહાર નીકળી આવી ક્ષિતિજ પર ઝળહળતી પ્રકાશરેખાને તમે ગ્રહી છે. પશુતા તમે તજી છે. સ્વાર્થ તમે છોડ્યો છે. અજ્ઞાન તમે ઓછું કર્યું છે. એક માનવ બીજા માનવનું ભક્ષ નહીં ન હોઈ શકે. એ સત્ય તમે સ્વીકાર્યું છે. “એક માનવને બીજા માનવ સાથે સંબંધ છે, એ વાત તમારે હૈયે બેઠી છે. કાળો કે ધોળો, નીચો કે ઊંચો, જાડો કે પાતળો, કુરૂપ કે સુરૂપ માનવીમાત્ર સમાન છે, એવો તમને ભાસ થયો છે. માનવ-શિકાર મૂકી તમે માનવમિત્ર શરૂ કર્યા છે. મિત્રતામાં તમે સાથે રહેતાં શીખ્યા, સાથે અન્નપાન મેળવતાં શીખ્યા, સાથે જીવનજંગ ખેલતાં શીખ્યા. મહાન કુળકરોએ તમને કુળની કલ્પના આપી. તમે કુળ સ્થાપ્યાં, પણ હજી તમારી દૃષ્ટિ માત્ર કુળમાં સીમિત છે. પૃથ્વીના પટ પર અનર્ગળ માનવી છે સાગરમાં મત્સ્યની જેમ એનાં અનેક કુળ રચી શકાય તેમ છે. એ સૌ સાથે સંબંધ બાંધી એક અભેદ માનવતા રચવાના દિવસો નજીક છે. -- Jain Education International નહોતા; અને મોટા થોડા વખત પછી “સંતાપના માર્ગથી તમે શાંતિના રાહ પર આવી રહ્યા છો. શિકારી જીવનમાં તમને પદે પદે ભય, ક્રૂરતા ને સંતાપ હતાં. માનવભક્ષનો તિરસ્કાર કર્યા પછી પણ, પશુ-ભક્ષ માટે તમારા જંગ સામાન્ય પ્રયાસ બાદ, એક પશુના દેહનો ખોરાક મેળવ્યા પછી એ ખાઈને ખલાસ કર્યા બાદ · પુનઃ એ જ સંતાપ ને સંગ્રામ જારી થતા. તમે તમારી અંધારી ગુફામાંથી બહાર નીકળ્યા, ટોળે વળ્યા. પણ ટોળાંને છાજતી શિસ્ત તમારી પાસે નહોતી, એટલે ભક્ષની વહેંચણીમાં એટલી ગડબડ થતી કે આખી ટોળી નાશ પામતી. એ શિસ્ત તમે સમજ્યા, સમૂહ – જીવનને યોગ્ય બન્યા ને આગળ વધ્યા. - ૧૬૬ ૨ ભગવાન ઋષભદેવ For Private & Personal Use Only -- www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy