SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ “રાજાનો અર્થ સમજો છો ?” “ના, એ શબ્દ અમારા માટે નવો છે. પણ ડાહ્યા લોકો કહે છે, રાજા હોય તો સંકટમાં અમારું રક્ષણ કરે, અમારા કલ્યાણ માટે વિચાર કરે. અમે ક્રોધથી ગાંડા થઈએ, સ્વાર્થથી આંધળા થઈએ, તો અમને શિખામણ આપે. શિખામણ વિસરી જઈએ તો શિક્ષા કરે, માબાપનું કામ રાજા કરે ! નાભિદેવ કહે છે, “કુમાર તમારો રાજા થશે. અમે પણ ઇચ્છીએ છીએ કે આપ અમારા રાજા થાઓ.” “તમારા જીવનના રાજા તમે પોતે બની શકતા હો તો રાજાની તમારે જરૂર નથી. અને જો તમારું રક્ષણ તમે નહીં કરી શકો તો રાજા શું કરવાનો હતો ? પણ અત્યારે આ વાત વિચારવાની નથી. તમારી સામે જે સુધાસંકટ છે, તેનું જ નિવારણ કરીએ. સહુ પોતપોતાના વૃષભ લઈ મારી પાસે સરયૂતીરે આવો !” કુમાર, અમે અમારા વૃષભ લઈ ત્યાં આવીએ છીએ, પણ તમે થોડો વિશ્રામ લઈને આવો. તમને શ્રમ હશે.” માનવગણે પોતાના પ્યારા કુમાર માટે લાગણીના શબ્દો કહ્યા. માનવજીવનના શ્રેય માટેનો પ્રયાસ એ મારે માટે શ્રમનો વિષય નથી, આનંદનો છે. સહુ સરયૂતીરની સમતલ ભૂમિ પસંદ કરજો. તમારી પાસે રહેલા દાણા લેતા આવજો.” “સહુના ઘરમાં યવના પચીસેક મૂઠી દાણા હશે.” “એટલા પણ લેતા આવજો.” થોડી વારમાં તો સરયૂના તીર પર જનસમુદાય ઊભરાઈ ગયો. કુમારની બુદ્ધિમત્તા માટે સહુને ખૂબ ખૂબ માન હતું. સમતલ ધરા પસંદ કરવામાં આવી. જેની પાસે જેટલાં બી હતાં, તેટલી ભૂમિ તેણે લીધી, પણ ભૂમિ કઠણ પથરાળ હતી. આમાં બી વાવે કેમ ઊગે? કુમારે બે મોટાં લાકડાં મંગાવ્યાં: એક લાકડાને તીરના આકારનું બનાવ્યું. બીજા લાકડાને તેમાં પરોવ્યું. “અને આ તો ભારે તીક્ષ્ણ શસ્ત્ર થયું. આનાથી તો પાતાળ પણ ફોડી નાખીએ.” એ શસ્ત્ર નથી, હળ છે, એને તમારા વૃષભની કાંધે જોડો, હળ ઉપર જરા જોર આપો, આ તમારી મૃતવતું પડેલી ઊખર જમીન ફળદ્રુપ બની જશે.” ૧૩૪ ભગવાન 28ષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy