SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ શતયજ્ઞકર્તા નાભિદેવ કુળકરની મૂંઝવણનો ઘણે દિવસે અંત આવ્યો હતો. એમનો અને એમના પૂર્વજોનો કાળ જુદો હતો. આટલી ઝડપથી પરિવર્તન એમને ત્યાં કદી આવ્યું નહોતું. ભોગભૂમિના અનન્ત દિવાસ્વપ્ન જેવા દિવસો આથમી ગયા, ને એક અષાઢી પૂર્ણિમાએ આકાશમાં ચંદ્ર દેખાયો, ત્યારે નાભિદેવના જ એક પૂર્વજ લોકોને કહ્યું કે સૃષ્ટિ પરિવર્તન પામી રહી છે ને એને પગલે યુગપરિવર્તન આવી રહ્યું છે. ભોગભૂમિના દિવસો પૂરા થયા, કર્મભૂમિનો પ્રારંભ થયો. સાવધ બનો, સ્વાશ્રયી બનો ! એ પ્રારંભ ભયંકર આંધી, ઉલ્કાપાતોથી છવાયેલો હતો; નવજીવનની પ્રસૂતિ નવપ્રસૂતા માતાની વેદના કરતાંય વિષમ હતી. મૃત્યુનાં તાંડવ સદા ચાલ્યાં કરતાં. એમાં એમના પ્રતાપી પૂર્વજ બન્યા તેટલા માનવોને એકઠા કર્યા, ને કુળ સ્થાપ્યું. એકઠા મળીને લડવું. એકઠા મળીને રહેવું, એ જ એમના માટે જીવનનો એક માત્ર શ્રેયસ્કર માર્ગ હતો. આ કુળકરોએ કુળોને માટે ઘણું કર્યું. તેમણે માનવીને પશુથી ભિન્ન કર્યો. આજે બકરાના વાડામાંથી જેમ બકરું ચોરાય તેમ માનવકુળોમાંથી માનવો ભક્ષ માટે ચોરાતા. ભયંકર વનચરો ગમે ત્યારે આવીને બધું નષ્ટભ્રષ્ટ કરી નાખતા. એક પૂર્વજ સ્વપરાક્રમથી વનપશુઓ પર વિજય મેળવ્યો, ને એની નિશાની તરીકે વનહસ્તીને પોતાનું વાહન બનાવ્યું. ગાયની એમણે શોધ કરી. એ જાનવર એમને આંગણે બંધાયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy