SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ “પણ અમારી સખીઓ અહીં છે.” લઈ જાઓ.” નાભિદેવે ટૂંકો જવાબ વાળ્યો. વનવિહારના શોખીનો પોતાની પ્રેયસીઓને બોલાવવા ગયા; પ્રેયસી વગર તો કંઈ વિહારની મજા જામે? પણ પ્રેયસીઓએ તો એમને ઊધડા લઈ નાખ્યા : “શરમ આવે છે કે નહીં ? મોટા વનવિહાર રસિયા જોયા ન હોય તો ! અહીં દેવી સુમંગલા પડાની પથારીએ છે, ને તમને મોજમજા સૂઝે છે ! જાઓ, અમે દેવી પાસે છીએ. અમારાં કામ તમે કરી નાખો : દૂર્વા લઈ આવો, ફળ એકઠાં કરો, ગાયોને ગોષ્ઠમાં લઈ જાઓ.” બિચારા રસિયા જીવો જેવા આવ્યા હતા તેવા વીલે મોંએ પાછા ફર્યા. આજે એમના દિલની વાત દિલમાં રહી ગઈ હતી. પ્રેયસીઓના વાળમાં ગૂંથવા આણેલાં મોરપીંછ, કપોલ પર લટકાવવા માટે આણેલી આમ્રમંજરીઓ, છાતી પર લગાવવા માટે આણેલો ચંદનરસ, પગ પર પૂરવા માટે લાવેલો લાક્ષારાગ, બધું કલ્પનામાં જ રહ્યું. હવે તો ક્યારે દેવી સુમંગલાની પીડા શમે, ને તેમની પ્રેયસીઓ મુક્ત બને, એની જ રાહ જોવી રહી, આ સુંદર મલયાનિલ, આ કોયલનો ટહુકાર, આ આમ્રમંજરી આજ વ્યર્થ છે ! અરે, દિશાઓમાંથી આ કેવો મધુર ગંધ આવી રહ્યો છે ! આ ચક્રવાક ને ચક્રવાકી મત્ત બનીને કેવાં ઊડતાં આવી રહ્યાં છે ! આ હરણાં કેવાં ભય તજીને ગેલ કરી રહ્યાં છે ! આશ્ચર્ય, મહદ્ આશ્ચર્ય ! સરયૂતીરનાં ઉપવનો ને આમ્રભવનનાં સ્ફટિક કુંડોમાં કુમુદિની ખીલી ઊઠી છે. ધોળે દિવસે કુમુદિની પોતાના શ્વેત સુકોમળ હસ્ત પ્રસારી કોના સ્વાગતે ખીલી નીકળી હશે ! અરે, વૃષભ આવ્યો ! કુમાર આવ્યા! અધમૂછિત સુમંગલાએ સૂર પકડી લીધો, વૃષભના સ્મરણ સાથે એની પીડા શાંત થઈ ગઈ. એણે એક યુગલનો જન્મ આપ્યો. દૂર દૂરથી નંદાવર્તનો શખસ્વર સંભળાયો. “અરે, વૃષભનો જ એ શખસ્વર. મેઘગર્જનાના રવ જેવો શખસ્વર બીજો કોણ કાઢી શકે ?” નાભિદેવ કહ્યું. દિશાઓને વીંધતો જય જય ધ્વનિ સંભળાયો. “કુમાર વૃષભધ્વજનો જય હો !” ચક્રવર્તીનો જન્મ ૧૨૭ - જીન . Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy