SearchBrowseAboutContactDonate
Page Preview
Page 142
Loading...
Download File
Download File
Page Text
________________ . • - માતા, આજે ઐરાવત પર બેસી, સર્વ સખીઓને લઈ, અઘોર વનમાં સિંહને નાથવા જઈશ” સુમંગલા વ્યાકુળતામાં બોલી ઊઠતાં. “સિંહને નાથવા ?” કેમ નહીં ? કુમાર તો કહેતા કે માનવજીવનને કશું અસાધ્ય નથી.” ધેલી ! કુમાર તો હવે આવ્યો સમજ_બે દિવસથી મારાં નેત્ર ફરકે છે – પછી તમે સુખે સિંહને નાથવા જજો ” “ના, મા, શા માટે એમ કહે છે? કેમ, કંઈ હું કુમારથી બળમાં, પરાક્રમમાં ઊતરતી છું? કુમાર વિના મને ચેન નથી પડતું, એટલું જ. કુમાર હોય તો આપોઆપ જાણે સર્વ પ્રવૃત્તિમાં રસ ને ઉત્સાહ આવે છે, એવી એક આદત પડી છે; બાકી હું ક્યાં કુમારથી ઓછી ઊતરું તમ છું?” બેટી ! કોઈ પરાક્રમી આત્મા તારા ઉદરમાં બેઠો છે, એ આવી વાણી બોલાવે છે. નક્કી, બાપ કરતાં બેટા-બેટી સી થશે. પણ સુમંગલા, તું બહાદુર હો તો એક કામ કર ! હવેથી કુમારનું નામ લઈશ નહીં, તો તને બહાદુર ગણું.” ભલે.” ઉત્સાહમાં સુમંગલા બોલી તો ગઈ, પણ થોડી વારમાં ફરી વ્યાકુળ બની ગઈ. એ ઊભી થઈને રિસાઈ ને બોલી: “મા, કેવી વિચિત્ર વાત કરી ? જે મારા શ્વાસોચ્છવાસ સાથે જડાયો હોય, એનું નામ લીધા વગર હું કેમ જીવી શકું? મા, તારી સાથે હું નહીં બોલું. તું મને પજવે છે. હું તો આ ચાલી. મારો જીવ રઘવાયો રહ્યા કરે છે, ને તું મારી મશ્કરી કરે છે ! કુમાર ! કુમાર ! કુમાર !” દેવી સુમંગલા રિસાઈને સિંહને નાથવા જંગલમાં ચાલી જતી, એરાવત ઉપર ધૂમતી, સખીઓને કહેતી કે “બધા માર્ગ તરફ લક્ષ રાખજો. કુમારના આગમનની હવે ઘડીઓ ગણાય છે. એવું ન થાય કે આપણે ફરતાં રહીએ ને એ આવી જાય. જોઉં તો ખરી, કેટલાં માનવકુળો વસે છે.” પણ બા, અમને કુમારની ચિંતા થાય છે. ક્યાં મહાપ્રાણી અષ્ટાપદ અને ક્યાં કુમાર? લોકો તો જાતજાતની વાતો કરે છે : કહે છે, કે અષ્ટાપદ એકસાથે આઠ આઠ હાથીનો શિકાર કરે, પગમાં પકડીને બિલાડી ઉંદર લઈને જાય, બાજ બુલબુલને લઈ જાય, એમ એ હાથીને ઉપાડી જાય ! બા, અમને તો બહુ ચિંતા થાય છે.” સખીઓ બોલી. એમને પણ કુમાર પ્રિય હતો. જો ચિંતા કરનારી ન જોઈ હોય તો! હું તો એના સ્વભાવને, એના વીરત્વને, એના વશીકરણને પૂરેપૂરાં પિછાનું છું. હું એને ન જાણું? એક પેટમાં રહ્યાં છીએ, ચક્રવર્તીનો જન્મ ૧૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy