SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ “શીત ? એ કેમ દૂર થાય ? એ તો સ્વર્ગમાં વસતા માનવદ્વેષી રાક્ષસના નિશ્વાસ છે. એ નિશ્વાસના બળથી છ છ મહિના સુધી એ અમને જીવતામૂએલા જેવા બનાવી નાખે છે. અંધકારમાં, હિમમાં, ધુમ્મસના વંટોળમાં એ આવીને અમારાં બાળકોને, અમારાં સાથીઓને ભરખી જાય છે.” “એ શીત નામનો રાક્ષસ હવે તમને પજવી નહીં શકે. અહીં આવો, ને થોડું સૂકું ઘાસ લઈ આવો.” સૂકું ઘાસ આવી ગયું. પેલા રૂપાળા માનવીએ પાસે પડેલા બે ચમકતા પથ્થરો લઈને જોરથી ઘસ્યા. એમાંથી તેજનાં સ્ફુલ્લિંગ ઝર્યા. ઘાસમાં ઝગારો થયો, ને થોડી વારમાં અગ્નિની રાતી રાતી શેડો પ્રગટી નીકળી. દિશાઓમાંથી હજી ઠંડી હવાની લહેરો આવતી હતી, પણ જેઓ આ અગ્નિની પાસે બેઠા, તેઓને જાણે તે કંઈ કરી શકવાને અસમર્થ હતી, “હાશ ! જે ટાઢ પૃથ્વીના ભૂગર્ભમાં કે જાનવરનાં ચામડાં ઓઢીને અંધકારમાં પડી રહ્યા છતાં દૂર થતી નહોતી, તે હવે વિશાળ આકાશની નીચે ખુલ્લી દિશાઓમાં બેઠાં બેઠાં ભગાડી શકાશે.” સહુ આજુબાજુ બેસી ગયા, ને સુખદ આતાપના લેવા લાગ્યા. કેટલાક એને સ્પર્શ કરી જોવા ગયા, તો દાઝયા. “દૂર રહી એનું સન્માન કરો !” આટલી વારમાં તો પેલા દેવપુરુષે માટીનો પિંડ લાવી એક પાત્ર બનાવ્યું, ને એને અગ્નિમાં મૂકી દીધું. સાથે સાથે કેટલાંક ફળો ને કંદ અગ્નિમાં નાખ્યાં. થોડી વારમાં પેલું પાત્ર પણ તૈયાર થયું ને પેલાં ફળ પણ પાકી ગયાં. ફળોનો શો મધુર આસ્વાદ ! “અરે, આ તો કોઈ અદ્ભુત માનવી ! એના હાથ અડ્યા ને ફળોમાં કેવો સ્વાદ આવ્યો !” ખાધા પછી પણ સહુ જીભને હોઠ પર પંપાળવા લાગ્યા. “આ પાત્રમાં પાણી ભરો. પેલી વનસ્પતિઓને એમાં નાખો, બરાબર ઉકળો. એક નવા પ્રકારની રસવતી તૈયાર થશે.” આ પછી પેલા તેજસ્વી માનવે જીવન સુખો, જીવવાયોગ્ય બને એવી અનેક વિધિઓ તેમને દર્શાવી. નાનાં નાનાં હૂંફાળાં ઘર, આંગણામાં પ્રજળતો ગૃહઅગ્નિ, પથ્થરનાં શસ્ત્રાસ્ત્ર, જંગલનાં મળતાવડાં પશુઓનો ઉપયોગ, એકબીજાની મદદની તૈયા૨ી વગેરે ઘણું ઘણું શીખવ્યું. હોંશીલા માનવીઓએ બધી વાતો ચિત્ત દઈને ગ્રહણ કરી. વાતવાતમાં આ પ્રદેશ વસી ગયો. “હે દેવતા, અષ્ટાપદ ગયા વગર નહીં ચાલે ? ભલભલાના મોતિયા મરી જાય છે ત્યાં તો !” Jain Education International માનવી – દેવોને પણ પૂજ્ય ૨ ૧૦૯ - For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy