SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ કહ્યું, “તમને વળી બાલાજોબન ને નવજોબનનાં નખરાં સૂઝે છે !” “કોણે કહ્યું? અમે તો રોજ તમને નવનવું રૂપ કાઢતાં ને પુષ્ટ બનતાં નીરખીએ છીએ.” સખીઓએ કંચુકી પર આંગળીના ટકોરો મારતાં કહ્યું : “અરે, આ નગુરાઓને તો જુઓ. એની પાસે તો સુવર્ણકલશ પણ હીન લાગે છે.” બટકબોલી સખીઓએ સુમંગલાનાં પુષ્ટ સ્તનો તરફ લક્ષ ખેંચ્યું. “જૂઠી છે આ નંદાદેવી ! સુવર્ણકળશ ક્યાં છે ? આ તો સુવર્ણકમળ છે, નહીં તો આ કાળા કાળા બે ભમરા ક્યાંથી આવીને બેસે ?” શ્યામ બનેલા સ્તનના અગ્રભાગ તરફ લક્ષ કરીને સખીઓએ કટાક્ષ કર્યો. “અને આ નિતંબનો ભાગ તો જુઓ ! વીણાના તુંબડાની જેમ ફૂલતો જ ચાલ્યો છે !” ને આ કપોલ પ્રદેશ ન જાણે કયા હર્ષથી પ્રલ્લિત બની રહ્યો છે !” સખીઓ, આ મશ્કરી મને પસંદ નથી. શું કુમારનો વિરહ મને સુખકર હશે ? નથી ખાવાનો આસ્વાદ, નથી પીવાનો રસ કે નથી નિદ્રા, ને છતાં મારો દેહ પ્રફુલ્લિત કેમ બને ?” “તમને કુમારનો વિરહ છે, એ અમે કબૂલ કરી છીએ. પણ તમારી પ્રફુલ્લિત દેહવલ્લરી કુમારના પ્રતિનિધિ જેવા કોક બે જીવોનો આગમનકાળ સૂચવી રહી છે.” બે જીવ ?” દેવી સુમંગલા હસી પડી, લજ્જાવત્ થઈ ગઈ. લજ્જાથી લાલ કમળની શોભાને પામેલા દેવીના આરક્ત ગાલોને બે બાજુથી બે સખીઓએ ચૂમી લીધા. “ચક્રવર્તીની માતા !” કોક અદશ્યમાં બોલતું હોય તેવા દેવીના અંતરમાં પડઘા પડ્યા. આ તો પ્રવાસે જતાં કુમારે કહેલી આગમવાણી ! “અરે, શું કુમાર આવ્યો !” ના ના, માતા મરૂદેવા આવે છે. અરે, તેમના હસ્તમાં રક્ત આસોપાલવને બદલે શ્વેત આસોપાલવની વેણી છે. આપણું કહ્યું તો દેવીએ ન માન્યું. ચાલો હવે શું થાય છે, તે જોઈએ.” બેટા, આ શ્વેત આસોપાલવ સિદ્ધિદાતા છે. તારી આશાઓની સિદ્ધિ ઘણી જલદી થશે.” “વડીલનું વચન ફળો !” શરમાતી, નવોઢાની ભાવોર્મિને સ્પર્શી રહેલી દેવી સુમંગલાએ કહ્યું. ૧૦૨ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy