SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ “તો એ તમારું જતન કરશે.” પયોધરધારી પશુઓનું સંરક્ષણ-સંવર્ધન એકદમ વધી ગયું. પ્રત્યેક માનવીના આંગણામાં આ પયોધરધારી પશુ માટે પર્ણકુટી ખડી થઈ ગઈ. ગૃહ-અગ્નિની જેમ આ પશુનું પાલન પણ એક વિધિરૂપ થઈ ગયું. પણ આથી અપયોધરધારક પશુઓ પર થોડી આપત્તિ આવી. સ્વાર્થી માનવ તેમની દરકાર ઓછી લેવા લાગ્યો. છતાં તેઓએ પણ પોતાનું સ્થાન તરત લઈ લીધું. કેટલાંક પ્રાણીઓએ આંગણાના છેડા પર ધામા નાખ્યા, ને ચોકીનું કામ શરૂ કર્યું. વનમાંથી છાનાં છત્તાં ચાલ્યાં આવતાં જંગલી પ્રાણીઓને નસાડવાનું કામ વગર કહે સ્વીકારી લીધું. તેઓએ કોઈ ભયંકર વનચરના આગમનની માહિતી, ખૂબ મોટા સ્વરે, સહુને આપવા માંડી. કુળવાસીઓને આ પ્રાણી વહાલું લાગ્યું. એની હાજરીમાં માનવી આહાર-નિદ્રા નિશ્ચિતતાથી લઈ શકતાં. વળી પયોધરધારી પશુઓ સ્વભાવે શાંત હતા, અને આ પશુઓમાં ઝનૂનનો વધુ અંશ હતો, એટલે જ્યારે એ પશુઓ વનમાં કે રાનમાં ચારા માટે ફરતાં ત્યારે આ ચોકીદાર પ્રાણી એની રક્ષા કરતું. વ્યાપદોથી રક્ષા કરનાર એ પ્રાણીનું નામ શ્વાન રાખ્યું. આ રીતે પયોધરધારી ને ચોકીદાર એ બે પ્રકારનાં પશુઓએ માનવજાતમાં સ્થાન લઈ લીધું. હવે બાકી બચેલાં પશુઓએ પણ માનવજીવનમાં મદદ કરવા માંડી. કુળનો વિસ્તાર ઘણો હતો. એક કુળથી બીજે કુળ પગે ચાલીને જતાં ઘણો વિલંબ થતો. કોઈ વનપશુના કે વનમાનવોના હુમલાને વખતે પારસ્પરિક સહાય માટે ધાર્યા સમયે પહોંચી શકાતું નહીં. આ કામ કેટલાંક પાતળા પગવાળાં શીઘ્રવેગી પશુઓએ માથે લીધું; માનવીને પ્રવાસના પરિશ્રમથી બચાવી લીધો. માનવીએ પોતાના આંગણામાં તેઓને સ્થાન આપ્યું. કેટલાંક પ્રાણીઓ ભારવહનનું કાર્ય પણ કરવા લાગ્યાં. માનવી માનવી વચ્ચે આ પરિસ્થિતિમાં વેરઝેર ઓછાં થતાં ગયાં. જવાઆવવાની સગવડ વધી તેમ સહકાર વધતો ગયો. એકબીજાની મિત્રતા કેળવવા માંડી. જીવનનો પારો ઊર્ધ્વગામી બનતો ચાલ્યો. કુમાર વૃષભધ્વજનું માનવોદ્ધારનું કાર્ય સફળતા વરવા લાગ્યું. જ્યાં જ્યાં આ સંદેશ પહોચ્યો, ત્યાં ત્યાં માનવી સળવળ્યાં. એકબીજાની દેખાદેખીથી વિકાસ સાધવા માંડ્યાં. ૧૦૦ ભગવાન ઋષભદેવ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy