SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ “અવશ્ય.” “કેવી રીતે ? કયા મંત્રથી ? કયા અભિચારથી ? કોના આશીર્વાદથી ?”’ “આ કાતરાના આશીર્વાદથી ! જે વસ્તુને તમે બાળકોનાં અડપલાં સમજી નાખી દીધી, એના જ બળથી આ વસ્તુ બનશે - તમને જોઈશે તેટલી.” “આંબલીના કાતરાથી ?” “હા, તેની ખટાશથી ! પણ હવે તો જેમ એક ગૃહ-અગ્નિથી બીજો અગ્નિ પ્રગટે છે, તેમ આ એકમાંથી જ બીજું બનશે.” “આનું નામ ” “ધિ. દધિ ધિને બનાવશે. દૂધના ઘડામાં થોડું ધિ નાખજો : પછી દધિ જ ધિ !” આ દધિએ તો કુળવાસીઓમાં આનંદ પસારી દીધો. પણ એક દિવસે આ ધિ પર પણ દેવોનો કોપ ઊતર્યો. દધિ બે-ચાર દિવસ રાખી મૂકતાં, એ આમલીના કાતરા કરતાં પણ ખાટું બની જવા લાગ્યું; ખાવામાં અપ્રિય અને હાનિકર્તા ભાસ્યું. તેઓ તો ફરી નાભિદેવ પાસે ગયાં. નાભિદેવે એક મોટા પાત્રમાં એ ખાટું બનેલું, શાપિત દધિ નંખાવ્યું, ને પોતાના હાથમાં ધારણ કરેલ દંડને ખૂબ ઘુમાવવા કહ્યું. દહીં તો પાણી પાણી થઈ ગયું, પણ એના ઉપર ચીકણો, ચળકતો પદાર્થ તરી આવ્યો. નાભિદેવે એ તરતો સ્નિગ્ધ પદાર્થ જુદો તારવી સહુને ચાખવા આપ્યો. અરે, દૂધને ભુલાવે, દધિને વિસરાવે તેવી સ્વાદિષ્ટ વસ્તુ એમાંથી પેદા થઈ હતી ! ખાતાંની સાથે જાણે દેહમાં બળનો અધિદેવ જાગ્રત થઈ જતો. અદ્ભુત કરામત છે, નાભિદેવના રાજદંડની ! અરે, આ તો જાદુઈ લાકડી ! “પ્રભુ, આનું નામ ?” “નવનીત-માખણ. જે સફેદ પાણી બાકી રહ્યું છે, એનું નામ તક્ર-છાસ. એને નકામી ન સમજશો. એ પણ તમને આરોગ્ય, આયુષ્ય ને બળ આપશે. વપરાતાં વધેલા માખણને તમારા અગ્નિ પર તપાવી લેજો; એ દિવસો સુધી રહી શકશે.” “હે દેવ, આ પયોધરધારી પશુમાં કોઈ દેવ વસતા લાગે છે ! અમે એની અર્ચા કરીશું, પૂજા કરીશું, એને રહેવા કુટી આપીશું, એને ચરવા ઘાસ ને પીવા જળ આપીશું. અને જીવથી એનું જતન કરીશું. Jain Education International For Private & Personal Use Only વિરહિણી મહાદેવી * ૯૯ www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy