SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ “ભલે, આર્ય દેવયશ તમારું રક્ષણ કરો. કુમારની ચિંતા મનને ઘેલું કરી રહી છે.” “અમને મુક્ત કરો, દેવી ! અમારા પ્રિય કુમાર માટે અમને કંઈક કરવા દો. અમે સહેલો ને સીધો માર્ગ બતાવીશું,” ઝાડ પર લટકાવેલા કેટલાક માનવીઓએ બૂમ પાડી. માર્ગદર્શકની જરૂર હતી. તેઓને મુક્ત કરવાનું આર્ય દેવયશને મન થયું. પણ દેવીની પાસે કોનું ચાલે ? ત્યાં તો દેવીએ જ કહ્યું : “સુનંદા, આ પાપાત્માઓમાંથી થોડાને સાથે લઈ જાઓ, માર્ગદર્શક તરીકે ખપ લાગે તો સારું. જો તેઓ પોતાનો સ્વભાવ ન ભૂલે તો લેશમાત્ર દયા ન દાખવશો.” “દેવી, ચિંતા ન કરશો. હાથી પણ એક વાર ભૂલથી બંધાઈ જાય છે, પણ હમેશાં બંધાતો નથી. બિલાડી એક વાર દૂધ પી શકે આપણી ગફલતનો લાભ લઈને. પણ પછી હંમેશ માટે દૂધ પીવું તેને માટે કાંઈ સહેલ નથી. સુનંદાએ તમારાં ને કુમારનાં પડખાં સેવ્યાં છે.” “દેવી, નિર્ભય રહેજો. કુમાર આવ્યા સમજો—વસંત આવે તે પહેલાં.” થોડી વારમાં દેવી સુનંદા ને આર્ય દેવયશની સરદારી નીચે એક મોટું જૂથ પહાડોની કરાડો ચઢવા લાગ્યું. મદમસ્ત વૃષભની પીઠ પર હાથ મૂકીને ઊભેલાં દેવી સુમંગલા ઘડીભર સ્નેહભીની આંખે સહુને જતાં જોઈ રહ્યાં. એ વખતે દૂર દૂરથી એક હાથી પર કુળકર નાભિદેવ ને માતા મરુદેવા ચાલ્યાં આવતાં દેખાયાં. Jain Education International માણસને સજા કે ક્ષમા ? * ૯૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy