SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ વિરહિણી મહાદેવી દિવસોના દિવસો વીતી ગયા. ઉષા હવે વસંતનો સંદેશ લાવતી હતી. વનરાજિમાં નવું જીવન જાગી ગયું હતું. આમ્રડાળે કોકિલા બેસીને પ્રીતમને વનની શોભા માણવા આમંત્રી રહી હતી. પણ ગયેલા સાજનનાં કંઈ સમાચાર કે ખબરઅંતર નહોતાં. સરયૂનો તટ માનવકુળોથી ભરચક થયે જતો હતો, પણ સુમંગલા માટે એ સૂનો સૂનો હતો. હવે તો માનવીઓ પંખીઓના માળા ને શિયાળની બોડ જેવાં વૃક્ષ કે ગુફાનાં ઘર મૂકી સુંદર પર્ણકુટીમાં આવીને વસ્યા હતા. માટીનાં બનાવેલાં પાત્રોમાં સુસ્વાદુ જળ છે. વનનાં ફળફૂલ ભરચક્ક હતાં. ઝાડની છાલ કે સુંદર મૃગ-ચર્મ કે વ્યાઘ્રચર્મનાં ઓઢણ તેઓની પાસે હતાં. આંગણામાં ગૃહ અગ્નિ રાત-દિવસ જલીને પવિત્રતાની સૌરભ ફેલાવે જતો હતો. કદી વશ ન થતો આ અગ્નિદેવ હવે જાણે માનવીનો આજ્ઞાંકિત સેવક બની ગયો હતો. ઝેરી મધમાખોનાં ટોળાંને એ પોતાની ધૂમ્રશિખાઓથી ભગાડી દેતો. વનપશુ તો આ દેવની લાલ લાલ આંખો જોઈ ઊભે પૂંછડે ભાગતાં હતાં, સર્પાદિ વિષધરોએ પણ આ ઊનાં ઊનાં આંગણાં છોડી જંગલોની ઠંડી છાયામાં જઈ આરામ લેવા માંડ્યો હતો. કલ્પવૃક્ષ નષ્ટ થયાંનો સહુનો જૂનો સંતાપ હવે દૂર થયો હતો. ‘કલ્પવૃક્ષ ગયાં, હવે કેમ જિવાશે ? આપણો નાશ જરૂ૨ થવાનો.’ એવી હૈયાવરાળ કાઢનારાઓને હવે આ નવું જીવન મીઠું લાગવા માંડ્યું હતું. પહેલાં ભૂખ લાગી – ન લાગી ને ખાવાનું મળી જતું; ક્ષુધાની મીઠાશ કદી જણાઈ નહોતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy