SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ એક માણસને સજ કે ક્ષમા સુનંદા ધીરે ધીરે શુદ્ધિમાં આવી રહી હતી. એના પર કોઈ કેફી વનૌષધિની અસર હજી જણાતી હતી. કમળદળ જેવાં એનાં નયન ઊઘડી ઊઘડીને પાછાં મીંચાઈ જતાં હતાં. “આ પયંત્ર કોણે રચ્યું? દોષપાત્રને પકડી આણો.” --– સ્વામીના વિરહથી અકળાયેલી, આતતાયીઓના નાશ માટે ઉઘુક્ત દેવી સુમંગલાએ હાકલ કરી. ક્ષણવારમાં ઘાયલ અંધકાર–ઓળાઓને સહુ ત્યાં ખેંચી લાવ્યા. પોતાના પાપકર્મથી તેઓ અંતરમાં પશ્ચાત્તાપ અનુભવી રહ્યા હતા. પેલા ખાડાવાલા માદક પીણાનો એમને ચઢેલો કેફ ઊતરી ગયો હતો. એકએકને હાથપગે બાંધીને તોડવૃક્ષ ઉપર લટકાવી દો ! કુમાર પાછા આવે ત્યાં સુધી ભલે હવા એમને હીંચોળે. એમનાં પાપકર્મ એવાં ભારે છે, કે સાંભળીને રોમાંચ ખડાં થઈ જાય એવી સજા એમને થવી ઘટે.” આજ્ઞાનો જ વિલંબ હતો. ઊંચી ઊંચી નાળિયેરી પર આ નરપશુઓને બાંધવાનું ને તાડન કરવાનું શરૂ થયું. જોતજોતામાં સહુ ત્રાસી ગયા. કેટલાકે કરુણતાભર્યા અવાજે કહ્યું : “દેવી ! અમારાં પાપ ભારે છે. અમારી કથની સાંભળો, અમને શુદ્ધ થવાની તક આપો.” “શુદ્ધ થવાની તક ” દેવી સુમંગલા ક્ષણવાર થંભી ગયાં. મહામના કુમારની યાદ આવી ગઈ. એ ક્ષણવાર સહૃદય બની ગયાં. એમણે કહ્યું : Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004519
Book TitleBhagavana Rushabhdeva
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages330
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy