________________
છે. જન્મથી જે નાનો છે એ નાનો છે; મોટો છે એ મોટો છે. માટે આપ મનમાં યત્કિંચિત્ પણ વિષાદ ન અનુભવશો, બંધુવત્સલ !”
મારા અઠ્ઠાણુ ભાઈઓનાં રાજનું શું ? હું લૂંટારો નથી, રાજવી છું !
સ્વામીના શાસનની શ્રેષ્ઠતા માટે હવે કશું કહેવાપણું રહ્યું નથી, એમના પુત્રોને રાજ સુપરત કરી દીધાં છે. અને આ રાજ પણ આપણે ક્યાં લેવું છે ?” મહાઅમાત્યે કહ્યું.
“મહાઅમાત્ય ! તમારા ખોળામાં તો અમે મોટા થયા છીએ. તમે બાહુબલીને તો પિછાણો છો. કેવો સુંદર એ છે ! મારો વર્ણ સૂરજ જેવો તેજસ્વી છે – જોનારની આંખો જ અંજાઈ જાય; પણ એનો તો પ્રિયંગુલતા જેવો સુંદર શ્યામ વર્ણ છે. મોં પર કેવી કાંતિ ઝળહળે છે ! ચક્રવર્તી પોતાના બંધુને યાદ કરી રહ્યા.
“સ્ત્રી તો ઠીક, પુરુષ પણ એના પર મુગ્ધ થઈ જાય, એવી એની સુંદરતા છે. બધા એને કામદેવનો અવતાર કહે છે. કેસરી સિંહની જેમ એની કટિ કુશ છે. મંદિર સમાન વિશદ એનું વક્ષસ્થળ છે. સ્તંભ સમાન બન્ને હસ્ત છે. મંગળકુંભ જેવા ખભા છે. પોયણાં જેવાં એનાં નેત્રો કર્ણપર્યન્ત દીર્ઘ છે. રમતમાં એ ઘણી વાર મને હરાવતો અને પછી ખુદ હારીને મને જિતાડતો !' ચક્રવર્તી ક્ષણ વાર થોભ્યા ને વળી બોલ્યા :
મારી વાત શું કહું ? મને સતત વિજયનું ભાન રહેતું. એ રમત ખાતર રમત રમતો. હારજીત એને મન કંઈ વિશેષ નહોતા. સુંદરીઓ વાળીની જેમ એની ચારેતરફ ઘૂમ્યા કરતી. પણ ઉનાળાના જવારાની જેમ એ કોરીધાકોર રહેતો.'
ચક્રવર્તી વાત કરતા થંભ્યા. એમની આંખ ગુજરેલા સમયના રમણીય પડદાઓને વીંધી રહી હતી !
“મહારાજ ! આપ જે વાત કહો છો એથી તો આપણે જે કામને ભાલા જેવું મોટું માનીએ છીએ, એ સોય જેવું હળવું બની જશે. વિનયી લઘુબંધુ બાહુબલી વડીલ બંધુના આદેશને વિનમ્રતાથી જરૂ૨ સ્વીકારશે.' મહાઅમાત્યે ચક્રવર્તીને પોતાની વાત ગળે ઉતારવા કહ્યું.
અને કદાચ ન સ્વીકારે તો ?”
તો યુદ્ધ એ જ આજનો યુગધર્મ ! શાસ્ત્રમાં કહ્યું છે કે ધનવાન પિતાએ પુત્રથી પણ ભીતિ રાખવી. પુત્રાણિ થનમાનાં પતિ:) એમ રાજાએ તો પોતાને ૫૮ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org