________________
૩૭
જીવનનાટક
રંગભવનનો પડદો ઊંચકાયો. દશ્યમાં અયોધ્યાની વિખ્યાત આયુધશાળા દેખાણી. સામે ચક્ર-રત્ન પડ્યું હતું.
ભરતદેવની પ્રચંડ કાયા શસ્ત્ર-રત્નોની પૂજા કરતી દેખાઈ ! બધેથી વાહ વાહના સ્વરો ઊડ્યા. તેજનું એક વર્તુલ ભરતદેવના મસ્તકની ચારેતરફ ઘૂમતું દેખાતું હતું.
પાંચસો શૂરા સામંતો ઘૂંટણિયે પડ્યા હતા, ધીમું ધીમું સંગ્રામગીત ગાઈ રહ્યા હતા. એ ચક્રરત્નના ઉપાસકો હતા.
ભરતદેવ સંગ્રામે સંચરતા હતા.
ભગવાન ઋષભદેવે યુદ્ધે ચઢતા રાજવી માટે એક મર્યાદા બાંધી હતી: . ત્રણ દિવસનું શુદ્ધિવ્રત અને ત્રણ દિવસ-રાતનું એકાંતસેવન ! અન્નજળનો સર્વથા ત્યાગ !
રાજકથા અને સ્ત્રીકથાનો સર્વથા ત્યાગ ! આજ ચોથા દિવસનું પ્રભાત હતું! શુદ્ધિ-વ્રતની સમાપ્તિના સૂરો હવામાં ગુંજતા હતા. સુંદર દાસદાસીઓ અન્નનાં ને પેયનાં પાત્રો લઈ ખડાં હતાં. ધીમા ધીમા શંખનાદ સાથે ભરતદેવે પારણું કર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org