________________
‘ભાગ્ય જાગ્યાં અમારાં ! જય હો મહારાણીનો !” ખેડૂત મંડળે કહ્યું. તેઓએ નકરી વીજળીની બનેલી આવી સ્ત્રી મૂર્તિ આજે જ નીરખી. દેવ-દેવીનાં અલૌકિક રૂપની કલ્પના તેઓ પાસે હતી, પણ મહારાણીના ત્રિલોકવિજયી રૂપ પાસે એ કલ્પના પણ ઝાંખી પડી ગઈ.
ચક્રવર્તીના મહેમાન એ પોતાના મહેમાન – એમ સમજી મહારાણી તમામ ખેડુમંડળને અરીસાભવનમાં નોતરી ગયાં.
અરીસાભવન જોઈને અડધા ખેડૂતો તો મૂછ ખાઈ ગયા. અરે ! જેવી પદમણી નાર, એવો એનો અરીસાપ્રાસાદ! થોડાકને તો આ બધું જોઈ ગાંડપણ થઈ ગયું. થોડાએક મહામહેનતે સ્વસ્થતા જાળવી શક્યા. કેટલાક તો આ જોયેલું દૃશ્ય આંખોમાંથી સરી ન જાય, એ માટે આંખો બંધ કરીને બેઠા ! આ બધું એમને માટે અલૌકિક અને અનિર્વચનીય હતું.
આશ્ચર્ય અને આઘાતમાંથી ખેડૂતમંડળ મુક્ત થાય તે પહેલાં નાટ્યગૃહમાં હજારો દીવા ઝગમગાટ કરી ઊઠ્યા. અને ધીરે ધીરે સંગીતના સૂરો ચારેતરફ રેલાવા લાગ્યા.
૨પર
ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org