SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ ના, આ તો વાતો સાંભળી છે.” ખેડૂત બોલ્યો, “અમારા ગામના લોકો એકવાર એમનાં દર્શન કરવા અયોધ્યા જવાનો વિચાર કરે છે. અમારે થોડા પ્રશ્નો પૂછવા છે.” ભાઈ ખેડૂત ! હું જ એ જડભરત ! “શું, તમે જ ચક્રવર્તી ભરતદેવ ? ધન્ય મારો અવતાર ! ધન્ય આ ઘડી. સહેજે મળી ગયા છો સ્વામી, તો અમારાં બધાંના મનમાં ઘોળાતો પ્રશ્ન પૂછું ? રાજ કરવું અને તપ કરવું, ભોગ ભોગવવા અને યોગ સાધવો – આ બે વિરોધી વાતો કઈ રીતે તમે એકસાથે આચરી શકો છો ?' અયોધ્યા આવજે ! ત્યાં સમજાવીશ.” પણ થોડી વાર થોભો સ્વામી ! અયોધ્યાને અને અયોધ્યાનાથને નીરખવાનું મારા આખા ગામને મન છે. હું જઈને સહું ને ઝટ તેડી લાવું.” એટલું કહીને ખેડૂત તો જવાબની અપેક્ષા રાખ્યા વિના ગામ તરફ દોડ્યો. થોડી વારમાં તો કણને સુવર્ણ કરતાં વધુ કીમતી માનનારા ગામડિયા ખેડૂતો દોડતા આવ્યા, પણ અરે ક્યાં છે અયોધ્યાપતિ ? ક્યાં છે ચક્રવર્તી ભરતદેવ ? - બધા પેલા ખેડૂતને કહેવા લાગ્યા : “અલ્યા ! સ્વપ્ન તો નહોતું આવ્યું ને?” પેલો ખેડૂત બોલ્યો : “હું ખોટું નથી કહેતો. પણ અરે ! જડભરત કોનું નામ ?' બધાએ વિચાર્યું કે હવે તો દર્શન વિના પાછા ન ફરવું. સહુને કહ્યું : “ચાલો અયોધ્યા સહુ અયોધ્યા તરફ ચાલ્યા. થોડી વારમાં તો ઋષભપ્રાસાદ દેખાયો અને એવા હજારો પ્રાસાદોને ઝાંખા પાડે તેવું અરીસાભવન દેખાયું. ૨૪૮ ભરત–બાહુબલી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004518
Book TitleBharat Bahubali
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages274
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Story
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy