________________
તો ખરેખર રંકથીય રંક છે!”
કોઈ જડભરતની આ અવળવાણી ન સમજ્યુ. દુનિયાને હંમેશાં ડાહ્યા દીવાના લાગ્યા છે.
થોડી વારે ભરતદેવ બોલ્યા :
જાઓ ! મૂળથી યુદ્ધોના વિરોધી અને પિતાજીએ પ્રેરેલાં વિદ્યા, તપ ને સ્વાધ્યાયના પૂજારીવર્ગને બોલાવો. તેઓ મારા જયધ્વનિ ઉચ્ચારશે !”
ભરતદેવની સ્થિતિ અત્યારે ભલે ઘેલા જેવી હોય, પણ એમની આજ્ઞા એટલે આજ્ઞા જ હતી; એમની આજ્ઞાનું ઉલ્લંઘન કરનાર સલામત ન રહેતો. તરત એ વિદ્યા અને તાપ્રેમી વર્ગને બોલાવવામાં આવ્યો. આવતાની સાથે ભરતદેવ તેમની પાસે જઈને બેઠા અને બોલ્યા :
“છડીદારની છડી ને નેકીદારની નેકી મને મૂંઝવે છે ! આત્માના જયનાદો હજી સંભળાતા નથી; એના વિના આવા જયનાદોથી શું વળ્યું ? મેં સંસારને જીત્યો, એ મારા દેહથી સૈન્યની ને શસ્ત્રની સહાયથી. હવે હું મનને જીતવા માગું છું, મન, ચિત્ત, બુદ્ધિ ને અહંકાર ને આત્માનાં સેવક કરવા માગું છું. એમાં મને ઉત્સાહ વધે એવી મારી છડી અને નેકી તમે પોકારશો ? તમારે એ જ કામ કરવાનું : સ્વાધ્યાય, તપ અને ઊંઘતા રાજાને જગાડે તેવી સ્પષ્ટ વાણી બોલવાની, તમારી આજીવિકાનો ભાર શાસન ઉઠાવશે.”
અમે કંઈ ન સમજ્યા, મહારાજ !” વિદ્યાસેવી વર્ગે કહ્યું.
હું તમને એ બરાબર સમજાવું. સંસારમાં સહુથી રાંકમાં રાંક અને ચિંતાભારવાળો જીવ તે રાજવી છે. એને મોહી કરવા માટે, વિષયને વશ કરવા માટે હજારો વિષય-કષાયની સેનાઓ ભિન્ન ભિન્ન રૂપ ધરીને સામે ખડી હોય છે. સંસારની દયા રાજા ખાય, પણ રાજાની દયા ખાનાર કોઈ નથી ! એની આત્મિક સંપત્તિને લૂંટી લેવા દુશ્મન રાજાઓ અસ્ત્ર-શસ્ત્ર સજ્જ ખડા છે. જીતતો દેખાતો રાજા ઘણી વાર સાચી રીતે હારતો હોય છે.'
‘ચક્રવર્તીદેવ ! આપને એવો ભય સેવવાની જરૂર નથી. આપ તો રાષ્ટ્રદેવ ભગવાન ઋષભદેવના પુત્ર છો. શીલ અને વિદ્યાના પ્રતીક જેવી બ્રાહ્મી અને સુંદરીના બંધુ છો. આપ તો રાજા પણ છો ને યોગી પણ છો !”
“ઓહ !” ભરતદેવને અદશ્યમાં કોઈ ચાબખા મારતું હોય તેવી વેદના થઈ આવી. એ બોલ્યા :
જડભરત ૨૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org