________________
પણ સમૃદ્ધિના આ ભર્યા સાગરમાં ભરતદેવની મનઃસ્થિતિ કમળના જેવી બનતી જતી હતી. ઘણી વાર એ અન્યમનસ્ક બની જતા; ભોગમાં યોગની અને રાગમાં વૈરાગ્યની વાત કરતા. ભાણાં પીરસેલાં રહી જતાં, સેજ બિછાવેલી રહી જતી, મંત્રી રાહ જોતા દરબારમાં બેસી રહેતા ને ભરતદેવ તો મૂંગા અને શાંત બનીને રાજમહેલના એક અંધારા ખૂણામાં બેઠા રહેતા ન કોઈ વાત, ન કોઈ ચીત !
અરે ! સ્વામીને આ શું થયું ?
દિવસ-પ્રતિદિવસ આ અસ્વસ્થતા વધતી ચાલી હતી. ઘણી વાર વસ્ત્રો પહેરતાં એક અંગનું બીજે અંગે પહેરી લેતા અને માથાનું આભરણ પગે મૂકી દેતા. ઘણી વાર ફૂલને બદલે ડાળીને સૂંઘવા લાગતા.
એ દિવસો સુધી ન ખાતા, દિવસો સુધી ન પીતા. પછી અંગનાં અંઘોળ કે વિલેપનની તો વાત જ કેવી ? કેસરબરાસનાં કચોળાં લઈને એ ઘણી વાર પગે લગાડતા ને પગ-પ્રક્ષાલનનું પાણી માથે ઢોળતા !
લોકો કહેતા, કે ભરત જડ બની ગયા—જડભરત બની ગયા !
ઘણી વાર સિંહાસન પર બેસવાને બદલે એ પૃથ્વી પર બેસી જતા, ને રાસંચાલનની વાતો કરવાને બદલે આત્માની અને યોગની વાતો કરતાં.
ભરતશાસનનો પ્રચાર ખૂબ જોશમાં ચાલતો હતો. સૂર્યનો ઊગમ થતાં જેમ કેટલાય અંધારા ખૂણા અજવાળાનો અનુભવ કરે, એમ અજ્ઞાન ને સંસ્કૃતિવિહીન દેશો પણ ભરતશાસનથી જ્ઞાન ને સંસ્કૃતિ પામ્યા હતા.
દેશદેશના પ્રવાસીઓ હજારો યોજનનો પ્રવાસ ખેડીને ભરતદેવના દર્શને આવતા, પણ ચક્રવર્તીને બદલે યોગી અને આત્મિક પુરુષ જેવા ભરતદેવને જોઈ નમી પડતા; અને દર્શનાર્થીઓનો એમ ને એમ ઉદ્ધાર થઈ જતો ! એમનું જીવન ધન્ય બની જતું !
લોકો કહેતા કે ચક્રવર્તી ભરત કરતાં આ જડભરતના દર્શનમાં ભગવાન ઋષભદેવના જીવનની ભવ્યતાની કંઈક વધારે ઝાંખી અનુભવીએ છીએ.
જડભરત એ જડભરત હતા. એક દિવસ પોતાનો જયજયધ્વનિ સાંભળી એ અકળાયેલા અકળાયેલા બહાર આવ્યા. આદેશ કરીને એમણે સહુને એકત્ર કર્યા અને કહ્યું :
‘ખબરદાર ! મારો મોહ અને કીર્તિપ્રેમ વધે એવા ઉચ્ચાર ન કરશો. રાજા
૨૪૨ * ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org