________________
તેઓએ બાહુબલને આવતો જોયો, ને મીઠી વાણીમાં એ બોલ્યા :
“મહાયોગી, મહાજ્ઞાની બાહુબલ આવે છે. આત્મપ્રકાશના અમર શિખર પર એ બિરાજમાન થયા છે. પૂર્ણેન્દુ જેવું પૂર્ણજ્ઞાન એ મહાયોગીને પ્રગટી ગયું છે. એવું ન બને કે અહીં આવી સહુ મુનિગણોને એ વંદે ને મુનિગણ અવિનયી ઠરે !'
પ્રભુની વાણી સાંભળતા જ મુનિગણ ઊભો થયો, ને સામે ચાલ્યો. જય હો જ્ઞાનીનો ! જય હો અમલ-જ્યોતિનો !”
અને બાહુબલ સમીપ આવી પોતાના નાના ભાઈઓને વંદન માટે ઝૂકે, એ પહેલાં તો સહુએ દોડીને એમને પકડી લીધા ને બોલ્યાં :
જોજો, મહાભાગ ! અમને વંદન કરી પાપભાગ બનાવતા નહિ ! જય હો અલખ જ્યોતિનો ! જય હો સત, ચિત, આનંદનો !”
૨૪
ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org