________________
એક કદમ ! બીજો કદમ !
પગની વચ્ચે દિવસોથી વાસ કરીને રહેલા સર્પરાજ મસ્તકના મણિ ડોલાવતા બહાર નીકળી આવ્યા, અને જતા જોગીને ખાળવા પગે વીંટળાઈ વળ્યા અબોલ વાણીમાં, એ જાણે પોતાની બબે જીભોના લપકારા કરી કહેવા લાગ્યા :
“હે યોગી ! રહી જાઓ ! રહી જાઓ ! આટલો પ્રેમાળ સહવાસ અમને બીજે ક્યાં સાંપડશે ? ક્રોધના અવતાર, મૃત્યુના પડછાયા એવા અમે અમારી જાતને વિસરી ગયા હતા. જન્મજાત વેરને તિલાંજલિ આપી બેઠા છીએ, જીવન-શાન્તિના ચાહકો અમે છીએ ! રોકાઈ જાઓ. યોગી રાજ!'
ગર્જતો સિંહ મારગ રોકી ખડો છે. જાણે એ કહે છે, હે જોગી ! સિંહને તણ ખાતા કર્યા પછી, જંગલને મંગલ કર્યા પછી, આ રીતે આમ દૂર થવું તમને ન શોભે!
પંખી તો કાગારોળ કરી રહ્યાં છે. કબૂતરો, કાબરો, પોપટો મસ્તક ફરતાં પ્રદક્ષિણા દેતાં જાણે અબોલ વાણી વદી રહ્યાં છે.
“અરે ! અમે હવે નવા માળા ક્યાં શોધીશું? માળા તો ઘણા મળી રહેશે, પણ આ માળા તો અમારા પ્રેમજાદુના હતા. અહીં સમડી અમારી સગી જનેતા જેવી હતી. બિલાડી તો બહેન જેવી વહાલી હતી. રે યોગી ! અમને નમાયાં, નબાપ ને અનાથ જેવાં બનાવીને ચાલ્યાં ન જાઓ !” આ પણ યોગીના રાહ કોણ રોકી શક્યું છે કે યોગીના કદમ કોણ ખાળી શક્યું છે ?
વિશ્વવિભૂતિઓ સર્વની છે. એ કયે દિવસે કોઈ એકની થઈ છે કે આજે
થશે ?
સંસાર તો સ્વાર્થી છે; સ્વાર્થ હોય એને પૂજે છે, અર્થે છે, પણ જગતની સ્વાર્થપૂર્તિ માટે કોણ પોતાની જાતને પોતાના આત્માથી છેટી પાડે.
સંસાર કેવો છે? જરા સુખ આપ્યું કે પૂજા! જરા દુઃખ મળ્યું કે તિરસ્કાર ! જગનો આ સર્જનજૂનો સ્વભાવ છે.
પ્રકાશ પ્રકાશ ભણી વહેતો ગયો.
ભગવાન ઋષભદેવ અશોક વૃક્ષની નીચે પ્રશમરસમાં નિમગ્ન બેઠા છે. પુષ્પોની વૃષ્ટિ થયા કરે છે. સુંદર સ્વર્ગીય વીણાના સનાતન નાદ ગાજે છે.
સત્, ચિત્ ને આનંદ ૨૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org