________________
કરનાર સૂર્ય, જગતને કંઈ પોતાની સાથે થોડું લઈ જાય છે ? એમ બાહુબલ કશું સ્વીકારતા નથી.
હવે તો એમણે મોન ધારણ કર્યું છે.
મનને રંજન કરનારી એ વાણી પણ બંધ કરી છે.
નેત્ર પણ નાસિકા ૫૨ સ્થિર કર્યાં છે. નેત્રથી કોઈને નીરખવાની વાત કેવી ! એ તો જાણે અંતરમાં કોઈનું દર્શન કરી રહ્યા છે.
ક્ષુધા-પિપાસાને તો એ ગણકારતા નથી.
ઇક્ષુ-૨સના કલશ અને મધુરાં ખાદ્યનાં પાત્રો એમ ને એમ પડ્યાં રહે છે. સુવર્ણ જેવી કાયા આખી રજથી છવાઈ ગઈ છે, પણ સ્નાન-વિલેપન કેવાં ? જળનાં કાસાર અને ચંદનનાં વન એમ ને એમ પડ્યાં રહે છે. રે ! બાહુબલજી ! જરા સાંભળો તો ખરા !
હવામાં વિલાપી સ્વરો રેલાય છે.
આ પુષ્પિત લતાઓ તમને નમેરા થયેલા જોઈ આપોઆપ સુકાઈ જાય છે. આ ચંદનનાં વૃક્ષો તમારા સ્પર્શ વગર એમને એમ ઊના ઊના નિશ્વાસ
મૂકે છે.
કસ્તૂરીમૃગ તો બહાવરા બની તમારી સામે એકીટશે નીરખી રહ્યા છે. એમની આંખોમાંથી ટપકતું સ્નેહજળ તો જુઓ !
આ ચક્રવાક ને ચક્રવાકી, તમારા પ્રેમાલાપ ન સંભળાતાં, સાવ મૂંગા બની
ગયાં છે.
કેવો ગજબ કર્યો, રાજન્ !
આ પૃથ્વીએ એવાં તે શાં પાપ કર્યાં કે તમે અબોલા લીધા, અવનિનાથ ! રાજમાર્ગો, કેડીઓ, વનવાટો જ્યાં જ્યાંથી બાહુબલ પસાર થાય છે, ત્યાં ત્યાં આ સ્નેહનું ધુમ્મસ ઘેરાઈ ગયેલું છે. પણ જેમ સૂર્યકિરણોથી ધુમ્મસ ઓસરી જાય એમ બાહુબલના પદસંચારે માનવહૈયાં કંઈક સાંત્વન અનુભવે છે. દિવસોનો આ પ્રવાસ અવિરત ચાલે છે. આગળ રાસંન્યાસી બાહુબલ છે, પાછળ નરનારનો સમુદાય છે.
પણ આ સમુદાય એક દિવસ આશ્ચર્ય અનુભવે છે ઃ ભ્રમરો ગુંજતા ભમતા રહ્યા અને શતદલ કમલ જાણે અદશ્ય ! બધા છે, પણ બાહુબલ જ નથી. ન જાણે ક્યાં ચાલ્યા ગયા છે !
બધાં શોધ કરવા લાગ્યાં. પણ રાત્રિ દિવસની શોધ કરે, એમ એ વ્યર્થ
રોકાઈ જાઓ રાજવી ! ૨ ૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org