________________
લાવી શકાય. યુદ્ધ યુદ્ધને ખેંચી લાવશે. શાસનને સ્થાપનારુંય યુદ્ધ છે, ને એને ઉથાપનારું પણ એ છે. માટે તમારાં શાસન યુદ્ધ પર નહિ, પ્રેમ પર સ્થાપજો ! તો જ એ કાયમ રહેશે.
“પિતાજીના શાસનને યાદ કરો ! એમની શાસન-સીમા અલ્પ હતી, પણ અનુયાયીઓના હૃદયપ્રેમની સીમા અલ્પ નહોતી. એમનું પ્રેમશાસન જગત પર એક મધુરી સ્મૃતિ મૂકી ગયું છે. એ શાસનને ભય વગર સહુ સ્વીકારે છે. એ સ્વીકારી સહુ સંપના, ઔદાર્યના, પરસ્પર સંપર્કના પાઠ શીખે છે. અને અમારું શાસન સંઘર્ષનું છે : કલહ, ઈર્ષા, છલ, મોટાઈને દંભના વાવેતર અમારા હાથે થયાં છે !
વળી મારા હાથે તો જગતની નાના-મોટાની જન્મજાત આમન્યાને આઘાત લાગ્યો. અમારા પૂર્વજો કુળકર કહેવાતા. એમણે કુળની રચના કરી. કુળમાં મોટો ધર્મ મર્યાદાનો ! નાના-મોટાની એ મર્યાદાનો મેં નાશ કર્યો.
મોટાભાઈએ તો ઓછોવત્તો પણ જગતમાં ભગવાન ઋષભદેવના સંદેશનો પ્રચાર કર્યો, પૃથ્વી પરથી સબળ નિર્બળને ખાય, એ અન્યાય દૂર કર્યો. વાઘબકરી ભરતશાસનમાં એક આરે આવીને પાણી પીએ તેવો ઘાટ રચ્યો.વનેવન, ગુફાએ ગુફા રખડી, દેવ, દાનવ ને રાક્ષસો સામે મૂઠભેડ આદરી એમણે એક અખંડ સામ્રાજ્ય ખડું કર્યું. એ સામ્રાજ્ય મિટાવવા હું ખડો થયો.મને મોટાઈનો મોહ થયો અને મોટાભાઈ પર કોપ થયો.
“એ સર્વનું પ્રાયશ્ચિત્ત કરવા આજે હું જાઉં છું. સર્વસ્વ છાંડીને જાઉં છું. તમારો પ્રેમ, તમારું રુદન કે તમારાં આંસુ મારા કર્તવ્યના રાહને નહિ ખાળી શકે. મારી ભૂલને હું માત્ર નમ્રતાના શબ્દોથી ધોવા નથી માગતો, મારા તપત્યાગનાં ઊનાં ઊનાં લોહીથી એને શુદ્ધ કરવા માંગું છું.
‘તક્ષશિલાનાં રસિયાં નર-નારને મારો સંદેશો છે કે તેઓ ભરતશાસનનો સ્વીકાર કરે. તક્ષશિલા અને અયોધ્યા એક બને. તમારું સારું અયોધ્યાને આપજો, એમનું સારું તમે ગ્રહણ કરજો. ખરાબ સામે એકબીજા ખડક જેવાં થઈને ખડાં થજો. પણ એટલું ન ભૂલશો કે આપવામાં જેટલી મોટાઈ છે, એટલી લેવામાં નથી. આપીને રાજી થજો – મહાપ્રજાનાં એ લક્ષણ છે.
જીવનના આનંદને ન ભૂલશો. સરિતા તમને જળ આપે, ગાય તમને દૂધ આપે, ધરતી તમને કણ આપે, વૃક્ષ તમને વસ્ત્ર આપે, ઘાસ તમને આશ્રમઘર આપે, કાષ્ઠ તમને અગ્નિ આપે, કુટુંબ તમને કલ્યાણ આપે – પછી દુનિયાની
રોકાઈ જાઓ રાજવી! ૧૯૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org