________________
બધું તમારે આશ્રિત હતું. હવે અમને કોણ મારગ બતાવશે ? જીવતર અમારું સૂકું સરોવર બની જશે, રોકાઈ જાઓ નાથ ! રોકાઈ જાઓ !
અને તમારા વિયોગમાં તક્ષશિલા શું ખંડેર નહિ બની જાય ? રે ! એ પ્રદેશનું એક એક પંખી, એક એક પ્રાણી પોતાના હાવતાર સ્વામી પાછળ ઘેલું છે.
એ પંખીડાં નિઃશ્વાસ નહિ નાખે ? એ પ્રાણીડાં પોકાર નહિ કરે ? રોકાઈ જાઓ, હે રાજાજી, રોકાઈ જાઓ! કોઈ રીતે મનાઈ જાઓ !
બાહુબલ માર્ગ પર ઊભા છે. ઓષ્ઠ પરથી અમી ઝરે છે, આંખમાંથી આશીર્વાદ ઊમટે છે, મોં પર દીનતા નથી, કોઈ મહાન દેવી તેજ ત્યાં ઝળહળી રહ્યું છે.
તેઓ ધીરેથી બોલ્યા : બંસરીના સ્વર એ સ્વરમાધુરી પાસે કડવા લાગ્યા :
મહાનુભાવો ! તમારા સ્નેહની મારે મન મોટી કિંમત છે, પણ આજ પંખી માળામાંથી ઊડ્યું છે. એને માળાનો અભાવો થયો છે. હવે તમારું રોક્યું એ પંખી નહિ રોકાય.
ધીરજ એ શાંતિની જનેતા છે. આજ આજંદ છે, કાલે શૈર્ય જાગશે. સુખદુઃખ સહન કરવાની શક્તિ તમને જરૂર મળશે. મારો વિયોગ તમને વીર બનાવશે.
અમે ભગવાન ઋષભદેવના પુત્રો છીએ. એમનો આદેશ છે કે રાજા તે યોગી ! રાજા તે ત્યાગી. અમે એવો અર્થ કરી બેઠા હતા કે રાજા આખા જગતનો સ્વામી ! એની તૃષ્ણાને કોઈ સીમા નહિ, કોઈ બંધન નહિ. એની તૃષ્ણા જેમ મોટી એમ એની મહત્તા પણ મોટી. આ પાઠ અમે અમારા જીવનથી જગતમાં ભણાવ્યો. હવે અમે ભણાવેલો એ પાઠ ખોટો છે એ વાત અમે સ્પષ્ટ ન કરીએ, તો જગતમાં મત્સ્યગલાગલનું રાજ પ્રસરી જાય. જેને હાથે ધર્મ પ્રસરવો જોઈએ, એને હાથે અધર્મ પ્રસરે.
રાજા એક ભૂલ કરે, એટલે અધિકારી બે કરે, સેવક ત્રણ કરે, અને એનું પરિણામ પ્રજા ભોગવે. આ કુશાસન છે. અમે ભૂલ કરી. અમે એ મિટાવવા માગીએ છીએ – અમારા રક્તથી અમારાં હાડમાંસથી! .
“યાદ રાખો કે યુદ્ધથી કોઈ વાતનો હંમેશ માટે શાંતિભર્યો નિકાલ નહિ ૧૯૮ ભરત–બાહુબલી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org