SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ગુરુ દેવ થોભ્યા, પછી બોલ્યા : હ્યું છે ને પુત્રનાં લક્ષણ પારણામાં પરખાય. સાંભળ્યું છે, રાજા કરણદેવના સિંહાસને બાળક જયસિંહ ચઢી બેઠો, ને રાજાએ એનું ઊજળું ભાવિ ભાખ્યું કે આ બાળક ધરાપતિ થશે. એક એમ દહાડો આ બાળક રમતો-રમતો મારું આસન દબાવીને બેઠો. એટલું જ નહિ, મોં મારા જેવું કર્યું, ઉપદેશની નક્લ મારા જેવી કરી. મેં એના તગતગ થતા ટાલકા તરફ જોયું, મારા જ્ઞાને મને કહ્યું : “આ બાળક દેશ, ધર્મ ને ફળને તારશે. એ મહાન જ્યોતિર્ધર છે. એ ગુજરાતનો વિદ્યાપતિ થશે.” મને બાળક ગમી ગયો. પણ એનો પિતા બારગામ હતો. ફક્ત માતા ઘેર હતી.' “માતાએ કઈ રીતે તમને પુત્ર આપ્યો ?' ઉદ્ય મહેતાએ મુખ્ય પ્રશ્ન કર્યો. એ જ કહું છું, મહેતાજી! એ ગુર્જર નારીને ધન્યવાદ ઘટે છે. માતાને મન પુત્ર એટલે આખા સંસારની સંપત્તિ, મેં એ માતાને કહ્યું : “ગુર્જરેશ્વરી ! પુત્રને ખોળામાં રાખી ખાતોપીતો કરવો છે, કે જે દરબારમાં રાખી નોકર-ચાકરી કરતો કરવો છે, કે કઈ સાધુને સોંપી જગતપૂજ્ય બનાવવો છે ? આ દો તારી કૂખનો દીવો છે.” માતા બોલી : “મારે એકનો એક છે. એને જોઈને અમે રાજી રહીએ છીએ. વળી મહારાજ ! છે એક દીકરો પણ સાત કરની ભૂખ લાગે તેવો છે.” “હે સુભાગી નારી ! રત્નાકર રત્ન પકવે છે, પણ પાતે એનો લોભ રાખતો નથી. આમ્રવૃક્ષ ફળ પકવે છે, પોતે રસ ચૂસતું નથી.જોગી તારા દ્વાર પર આવ્યો છે. એ જોગીને આપી દે આ બાળકએ જોગંધર થશે. તને તારશે, જગતને તારશે. ક્ષત્રિયાણીઓ એના એક જુવાન બેટાને રણમેદાને નથી મોલતી ? ભૂલી ગઈ એ ?” “મહેતાજી ! શું કહું તમને ! એ ગુર્જરેશ્વરીએ સગે હાથે મને દાન દીધું, ઠ્ઠાં : “એના નાશવંત દેહની માયા છોડું છું, પણ એના કિર્તિદેહનો મોહ ધરું છું. મારો દિકરો ગૃહઉજામણ, કુળ ઉજામણ અને દેશઉજામણ બનો.' ગુરુ આટલું બોલી શાંત રહ્યા. મહેતાજીએ કહ્યું : ૬૪ ઉદા મહેતા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004517
Book TitleUda Mehta
Original Sutra AuthorN/A
AuthorJaybhikkhu
PublisherJaybhikkhu Sahitya Trust
Publication Year2008
Total Pages138
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Karma
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy